સુરત : ઓલપાડ ખેડુતોને હવે 8ના બદલે 10 કલાક સુધી અપાશે વીજળી, જુઓ શું કહે છે ખેડુતો

બોરવેલમાંથી પાણી ખેંચી શકાય તે માટે નિર્ણય, સરકારના નિર્ણયને ખેડુતોએ આપ્યો આવકાર.

New Update
સુરત : ઓલપાડ ખેડુતોને હવે 8ના બદલે 10 કલાક સુધી અપાશે વીજળી, જુઓ શું કહે છે ખેડુતો

ગુજરાતમાં વરસાદ ખેંચાઇ ગયો છે ત્યારે સરકારે ખેડુતોને દરરોજ આઠના બદલે 10 કલાક સુધી વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. બે કલાક વધારે વીજળી મળવાથી ખેડુતો બોરવેલમાંથી વધારે પાણી ખેંચી શકશે અને પાકની સિંચાઇ કરી શકશે.

એક મહિના અગાઉ તૌકતે વાવાઝોડાને પગલે ખેડૂતોને વ્યાપક નુક્શાન થયું હતું. હાલ ચોમાસુ પાછું ખેંચાયું જેને પગલે ખેડૂતોને પડવા પર પાટુ સમાન છે. ત્યારે રાજ્ય સરકારે આજ બાબત ને ધ્યાન આ રાખી સરકારે ધરતીપુત્રોને હવે ખેતી માટે એગ્રીકલ્ચર વીજ પુરવઠો ૮ બદલે ૧૦ કલાક આપવાની જાહેરાત કરી છે. 2 કલાક વધુ વીજ પુરવઠો મળવાથી ખેડૂતોના પાક ઉત્પાદન માં રાહત રૂપી સાબિત થશે. ઓલપાડ તાલુકાના ખેડૂતો સરકાર ના આજ નિર્ણય ને આવકારી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ : આમોદમાં નેશનલ હાઇવે 64 ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન,વરસાદી પાણીની જમાવટથી ખાબોચિયા છલકાયા

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે

New Update

આમોદમાં ખખડધજ હાઇવેથી લોકો પરેશાન

વરસાદના કારણે હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય

હાઇવે પર ખાડામાં પાણી ભરાતા ખાબોચિયા છલકાય

સગર્ભા મહિલાને પ્રસૂતિમાં પણ પડી મુશ્કેલી

સમારકામ માટે વાહન ચાલકોમાં ઉઠી માંગ

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે. સર્જાયેલ પરિસ્થિતિને કારણે રાહદારીઓહાઇવેને અડીને આવેલા રહેણાંક વિસ્તારો અને દુકાનદારો સહિત લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લાના આમોદ નેશનલ હાઇવે 64 વરસાદમાં અત્યંત બિસ્માર બની ગયો છે.જેના કારણે આમોદ નગરની ગર્ભવતી મહિલાની તબિયત લથડતા અને અસહ્ય પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા આમોદથી જંબુસર હોસ્પિટલ લઈ જવા માટે વાહન લઈને  નીકળ્યા હતા,પરંતુ ખખડધજ અને મસમોટા ખાડાઓ અને ટ્રાફિકને લઈ હોસ્પિટલની સારવાર મળતા પહેલા જ હાઇવે પર જ ખાડાઓના સામ્રાજ્યને લઈને અસહ્ય પીડાઓ સાથે ડીલેવરી થઈ ગઈ હતી. પરિવારના મોભીએ હાઇવે વહીવટી તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત વાહનચાલકો પણ ખરાબ રસ્તા મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે.મોસમના પહેલા વરસાદમાં જ હાઇવે ગાયબ થઈ ગયો છે.અને મસમોટા કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થતા કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીની અને ભ્રષ્ટાચારની પોલની ચાડી ખાતા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે. વહેલી તકે ભ્રષ્ટાચાર મુક્ત હાઇવેનું પેચિંગવર્ક કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.