સુરત : મૂકબધિર પુત્રએ કરી પિતાની હત્યા, પિતાએ ઠપકો આપતા પુત્રને આવ્યો હતો ગુસ્સો..!

New Update
સુરત : મૂકબધિર પુત્રએ કરી પિતાની હત્યા, પિતાએ ઠપકો આપતા પુત્રને આવ્યો હતો ગુસ્સો..!

અમરોલીમાં મૂકબધિર પુત્રએ કરી પિતાની હત્યા

પુત્ર લાઈટ ચાલુ બંધ કરતાં પિતાએ આપ્યો ઠપકો

પિતાએ રોષે ભરાઈ પુત્રને હાથ પર ચપ્પુ માર્યું

પુત્રએ પણ પિતાને માથામાં પથ્થર મારતા મોત

સુરત શહેરના અમરોલી સ્થિત વૃંદાવન સોસાયટીમાં ગણેશ સ્વાઇ પોતાના 2 પુત્રો સાથે રહે છે. તેઓનો એક પુત્ર ગણેશ જે ડાયમંડ ફિક્સિંગનું કામ કરે છે, જ્યારે બીજો પુત્ર શંકરશન મૂકબધિર છે. ગતરોજ ગણેશભાઈ ઘરે આવીને સુતા હતા, તે દરમ્યાન તેઓનો મૂકબધિર પુત્ર શંકરશન ઘરની લાઈટ ચાલુ બંધ કરતો હતો. જેથી પિતાએ પુત્રને ઠપકો આપી ચપ્પુ વડે હાથ પર મારી ઈજા પહોચાડી હતી.

ત્યારબાદ રોષે ભરાયેલા પુત્રએ ત્યાં રહેલો મસાલા પીસવાનો પથ્થર ઉઠાવી પિતાને માથામાં મારી દેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બીજો પુત્ર નોકરી પરથી ઘરે આવીને જોતા તેના પિતા મૃત હાલતમાં પડ્યા હતા. તો બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે અમરોલી પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


Read the Next Article

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 53 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18 ટકા જળસંગ્રહ નોંધાયો છે, જ્યારે જીવાદોરી સમાન નર્મદા ડેમમાં કુલ સંગ્રહશક્તિના 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે.

New Update
  • ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર

  • ડેમમાં 53 ટકાથી વધુનો પાણી ઉપલબ્ધ

  • 207 જળાશયોમાં 44 ટકાથી વધુ જળ સંગ્રહ

  • રાજ્યમાં પાણીની અછત નહી સર્જાય તેવો દાવો

  • નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે 

ગુજરાતમાં ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો હોવાના કારણે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18 ટકા જળસંગ્રહ નોંધાયો છેજ્યારે જીવાદોરી સમાન નર્મદા ડેમમાં કુલ સંગ્રહશક્તિના 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે.

ચાલુ વર્ષે આગામી દિવસોમાં ચોમાસાનું ગુજરાતમાં આગમન થવા જઇ રહ્યું છે ત્યારે ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18 ટકા જળ સંગ્રહ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે. જેમાંથી આગામી સમયમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે. ગત વર્ષે આ સમયે એટલે કેતારીખ 10 જૂન 2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 40.81  ટકા જળ સંગ્રહ હતો. તેમ જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

વધુમાં મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 44.08 ટકા જળ સંગ્રહદક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 43.25 ટકા જળ સંગ્રહઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.38 ટકાસૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 28.10 ટકા અને કચ્છના 20 જળાશયોમાં 27.57 ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને જળ સંપત્તિ મંત્રી કુંવરજી  બાવળીયા તેમજ  રાજ્ય મંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં  સરકારે સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાનનલ સે જલ અભિયાન જેવા જળ સંચયના અનેક અભિયાનો શરૂ કર્યા હોવાથી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે.

Latest Stories