સુરેન્દ્રનગર : રણ પ્રદેશમાં અગરિયાઓ "તરસ્યા", પાઇપલાઇન યોજના માટે દરખાસ્ત
કચ્છના નાના રણમાં મીઠું પકવતા 17168 અગરિયાઓ પીવાના પાણી માટે ટેન્કરો પર નિર્ભર છે.

કચ્છના નાના રણમાં મીઠું પકવતા 17168 અગરિયાઓ પીવાના પાણી માટે ટેન્કરો પર નિર્ભર છે. નલ સે જલ યોજના હેઠળ રણ પ્રદેશમાં પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન યોજના માટે દરખાસ્ત કરવામાં આવી છે.
રાજય સરકારની નલ સે જલ યોજના હેઠળ દસાડા તાલુકાના ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાં 5345.17 લાખના ખર્ચે અને ધ્રાંગધ્રા તાલુકાના જેસડા-કૂડા રણમાં 898.41 લાખના ખર્ચે પાઇપલાઇનની યોજનાની દરખાસ્ત કરાઇ છે. જો આ યોજનાને મંજૂરી મળી જાય તો રણમાં મીઠું પકવતા અગરિયાઓને આઝાદીના 74 વર્ષે પાઇપલાઇન દ્વારા શુધ્ધ પીવાનું પાણી મળશે. સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા તાલુકાના ખારાઘોડા અને ઝીંઝુવાડા રણ વિસ્તારમાં મીઠું પકવતાં કુલ 112 તેમજ ધ્રાંગધ્રા તાલુકાના જેસડા અને કુડા રણ વિસ્તારમાં કુલ 38 એકમો આવેલા છે. દસાડા તાલુકાના ખારાઘોડા અને ઝીંઝુવાડા રણ વિસ્તારમાં દૈનિક 4,13,190 લીટર જયારે ધ્રાંગધ્રા તાલુકાના જેસડા-કુડાના રણ વિસ્તારમાં 1,01,850 લીટર પાણીની જરૂરીયાત રહે છે. હાલમાં આ બંને રણમાં ઘૂડખર અભ્યારણ્યમાં હાલમાં પાઇપલાઇન ન હોવાથી મીઠું પકવવાની સીઝન દરમિયાન એટલે કે દર વર્ષે નવેમ્બરથી જૂન માસ દરમિયાન 20 દિવસે એક વખત ટેન્કરો દ્વારા પાણી પુરવઠા વિભાગ દ્બારા રણ બેઠા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે.
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 459 નવા કેસ નોધાયા, 922 દર્દીઓએ કોરોનાને આપી...
12 Aug 2022 4:45 PM GMTભરૂચ: K.J.ચોકસી પબ્લિક લાયબ્રેરીના ગ્રંથપાલ દ્વારા આઝાદીના અમૃતકાળની...
12 Aug 2022 3:20 PM GMTઅંકલેશ્વર : GIDCમાં આવેલ યોગેશ્વરનગરમાં 28 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ...
12 Aug 2022 3:02 PM GMTઅંકલેશ્વર : ગડખોલ વિસ્તારની રાધેક્રિષ્ના સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો...
12 Aug 2022 2:18 PM GMTભરૂચ : નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, સરદાર સરોવર ડેમમાંથી 1.50 લાખ...
12 Aug 2022 1:24 PM GMT