સુરેન્દ્રનગર : ચૈત્રી નવરાત્રીમાં ભક્તોની સુવિધા માટે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા સમયપત્રક બહાર પાડવામાં આવ્યું

સુરેન્દ્રનગર ખાતેના ચોટીલાના શ્રી ચામુંડા માતાજીના ચૈત્રી નવરાત્રી દરમિયાન દર્શન માટેનું સમયપત્રક ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.અને ભક્તોને માતાજીના દર્શનમાં કોઈ તકલીફ ન રહે તે માટેની તૈયારીઓ કરવામાં આવી છે.

New Update
  • શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધામાં વધારો

  • ચૈત્રી નવરાત્રીને લઈને કરાયું પૂર્વ આયોજન

  • ચામુંડા માતાજીના દર્શન માટે સમયપત્રક બહાર પાડ્યું

  • ડુંગરના પગથિયાના દ્વાર ખુલવાનો સમય સવારે 5 કલાક રહેશે

  • સવારની આરતી 5:30 કલાકે જયારે સાંજે સૂર્યાસ્ત સમયે આરતી થશે

  • ભોજનાલયમાં ભક્તો બપોરના 11 થી 2 કલાક પ્રસાદીનો લઇ શકશે    

સુરેન્દ્રનગર ખાતેના ચોટીલાના શ્રી ચામુંડા માતાજીના ચૈત્રી નવરાત્રી દરમિયાન દર્શન માટેનું સમયપત્રક ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.અને ભક્તોને માતાજીના દર્શનમાં કોઈ તકલીફ ન રહે તે માટેની તૈયારીઓ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલ શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે શ્રી ચામુંડા માતાજીના દર્શન માટેનું  સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે.

તારીખ 30 માર્ચથી તારીખ 6 એપ્રિલ દરમિયાન ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા  નિર્ણય લેવામાં આવ્યો છે,જેના કારણે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ચૈત્રી નવરાત્રી દરમિયાન લાખો ભાવિકો માતાજીના દર્શનનો લાભ લઇ  શકે. શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડુંગરના પગથિયાના દ્વાર ખુલવાનો સમય સવારે 5 કલાક અને સવારની આરતી 5:30 થશે અને સાંજે આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તનો જાહેર કરવામાં આવ્યો છે,

આ ઉપરાંત ભક્તો માટે મંદિરના ભોજનાલયમાં ભોજન પ્રસાદ રાબેતા મુજબ બપોરે 11 થી 2 કલાક સુધીનો રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી દરમિયાન ચામુંડા માતાજીના દર્શનમાં ભક્તોની સુવિધા માટેની વિશેષ તૈયારીઓ પણ કરવામાં આવી છે.અને શ્રી ચામુંડા માતાજી સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે તે માટે ટ્રસ્ટ દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી છે.

 

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.