-
શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધામાં વધારો
-
ચૈત્રી નવરાત્રીને લઈને કરાયું પૂર્વ આયોજન
-
ચામુંડા માતાજીના દર્શન માટે સમયપત્રક બહાર પાડ્યું
-
ડુંગરના પગથિયાના દ્વાર ખુલવાનો સમય સવારે 5 કલાક રહેશે
-
સવારની આરતી 5:30 કલાકે જયારે સાંજે સૂર્યાસ્ત સમયે આરતી થશે
-
ભોજનાલયમાં ભક્તો બપોરના 11 થી 2 કલાક પ્રસાદીનો લઇ શકશે
સુરેન્દ્રનગર ખાતેના ચોટીલાના શ્રી ચામુંડા માતાજીના ચૈત્રી નવરાત્રી દરમિયાન દર્શન માટેનું સમયપત્રક ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.અને ભક્તોને માતાજીના દર્શનમાં કોઈ તકલીફ ન રહે તે માટેની તૈયારીઓ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલ શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે શ્રી ચામુંડા માતાજીના દર્શન માટેનું સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે.
તારીખ 30 માર્ચથી તારીખ 6 એપ્રિલ દરમિયાન ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે,જેના કારણે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ચૈત્રી નવરાત્રી દરમિયાન લાખો ભાવિકો માતાજીના દર્શનનો લાભ લઇ શકે. શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડુંગરના પગથિયાના દ્વાર ખુલવાનો સમય સવારે 5 કલાક અને સવારની આરતી 5:30 થશે અને સાંજે આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તનો જાહેર કરવામાં આવ્યો છે,
આ ઉપરાંત ભક્તો માટે મંદિરના ભોજનાલયમાં ભોજન પ્રસાદ રાબેતા મુજબ બપોરે 11 થી 2 કલાક સુધીનો રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી દરમિયાન ચામુંડા માતાજીના દર્શનમાં ભક્તોની સુવિધા માટેની વિશેષ તૈયારીઓ પણ કરવામાં આવી છે.અને શ્રી ચામુંડા માતાજી સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે તે માટે ટ્રસ્ટ દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી છે.