સુરેન્દ્રનગર : ચૈત્રી નવરાત્રીમાં ભક્તોની સુવિધા માટે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા સમયપત્રક બહાર પાડવામાં આવ્યું

સુરેન્દ્રનગર ખાતેના ચોટીલાના શ્રી ચામુંડા માતાજીના ચૈત્રી નવરાત્રી દરમિયાન દર્શન માટેનું સમયપત્રક ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.અને ભક્તોને માતાજીના દર્શનમાં કોઈ તકલીફ ન રહે તે માટેની તૈયારીઓ કરવામાં આવી છે.

New Update
  • શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધામાં વધારો

  • ચૈત્રી નવરાત્રીને લઈને કરાયું પૂર્વ આયોજન

  • ચામુંડા માતાજીના દર્શન માટે સમયપત્રક બહાર પાડ્યું

  • ડુંગરના પગથિયાના દ્વાર ખુલવાનો સમય સવારે 5 કલાક રહેશે

  • સવારની આરતી 5:30 કલાકે જયારે સાંજે સૂર્યાસ્ત સમયે આરતી થશે

  • ભોજનાલયમાં ભક્તો બપોરના 11 થી 2 કલાક પ્રસાદીનો લઇ શકશે    

સુરેન્દ્રનગર ખાતેના ચોટીલાના શ્રી ચામુંડા માતાજીના ચૈત્રી નવરાત્રી દરમિયાન દર્શન માટેનું સમયપત્રક ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.અને ભક્તોને માતાજીના દર્શનમાં કોઈ તકલીફ ન રહે તે માટેની તૈયારીઓ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલ શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે શ્રી ચામુંડા માતાજીના દર્શન માટેનું  સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે.

તારીખ 30 માર્ચથી તારીખ 6 એપ્રિલ દરમિયાન ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા  નિર્ણય લેવામાં આવ્યો છે,જેના કારણે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ચૈત્રી નવરાત્રી દરમિયાન લાખો ભાવિકો માતાજીના દર્શનનો લાભ લઇ  શકે. શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડુંગરના પગથિયાના દ્વાર ખુલવાનો સમય સવારે 5 કલાક અને સવારની આરતી 5:30 થશે અને સાંજે આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તનો જાહેર કરવામાં આવ્યો છે,

આ ઉપરાંત ભક્તો માટે મંદિરના ભોજનાલયમાં ભોજન પ્રસાદ રાબેતા મુજબ બપોરે 11 થી 2 કલાક સુધીનો રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી દરમિયાન ચામુંડા માતાજીના દર્શનમાં ભક્તોની સુવિધા માટેની વિશેષ તૈયારીઓ પણ કરવામાં આવી છે.અને શ્રી ચામુંડા માતાજી સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે તે માટે ટ્રસ્ટ દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે દહેજ રોડ પરથી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડી, રૂ.1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દહેજ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે ભરૂચથી દહેજ જતા રોડ ઉપર ભેંસલી ગામ નજીક આવેલ રામદેવ રાજસ્થાની હોટલ

New Update
IMG-20250824-WA0171
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દહેજ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે ભરૂચથી દહેજ જતા રોડ ઉપર ભેંસલી ગામ નજીક આવેલ રામદેવ રાજસ્થાની હોટલ પાસે ઉભેલ ટ્રક નંબર GJ-38-TA-2176 માં ફાડકામાં મુકેલ ધાતુની વોટર ટેન્કમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી લઇ જવાય છે.
જેના આધારે દરોડા પાડતા વિદેશી દારૂ પ્રત્યક્ષ દેખાય તેમ મળી આવ્યો ન હતો અને ધાતુની વોટર ટેન્ક કાપ્યા વગર ખુલે તેમ હતો નહીં જેથી પોલીસ ટીમ દ્વારા લોખંડ કાપવાના કટર વડે વોટર ટેંક કાપી તપાસતા વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના પુઠ્ઠાના બોક્ષ નંગ-૫૬૬ નાની મોટી કુલ બોટલ નંગ-૧૬,૬૩૦ કિંમત રૂપિયા ૮૫,૮૭,૪૦૦/- નો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
ઝડપાયેલ આરોપી જેસારામ  વિશનારામ જાટે જણાવ્યું હતું કે  રાહુલ નામના વ્યક્તિએ દહેરાદુન (ઉત્તરાખંડ)થી દારૂ ભરાવી આપેલ અને મુસાફરી દરમ્યાન સંપર્કમાં રહયો હતો દરમ્યાન દહેજ જતા રોડ ઉપર ટ્રક ઉભી રાખવા જણાવ્યું હતુ અને આગળ વડોદરા જવાની સુચના હતી. આ મામલામાં પોલીસે દારૂ અને ટ્રક મળી રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે દારૂ મોકલનાર આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.