સુરેન્દ્રનગર: 1500 ફૂટના તિરંગા સાથે જોવા મળ્યો દેશ ભક્તિનો રંગ, તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
સુરેન્દ્રનગરમાં દેશભક્તિના અનેક રંગ જોવા મળ્યા હતા ત્યારે આજરોજ નગરજનોએ 1500 ફૂટ લાંબો ત્રિરંગો લહેરાવ્યો હતો
BY Connect Gujarat Desk13 Aug 2023 8:04 AM GMT
X
Connect Gujarat Desk13 Aug 2023 8:04 AM GMT
સુરેન્દ્રનગરમાં દેશભક્તિના અનેક રંગ જોવા મળ્યા હતા ત્યારે આજરોજ નગરજનોએ 1500 ફૂટ લાંબો ત્રિરંગો લહેરાવ્યો હતો
દેશના 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં માટે ઠેર ઠેર થનગનાટ જોવા મળી રહયો છે ત્યારે સુરેન્દ્રનગરમાં દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા. સુરેન્દ્રનગરવાસીઓએ શહેરમાં 1500 ફૂટ લાંબો તિરંગો લહેરાવ્યો હતો. તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને 1500 ફૂટ લાંબો તિરંગો લહેરાવ્યો હતો અને દેશભક્તિને ઉજાગર કરી હતી
Next Story