Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: ઘુડખર અભ્યારણ વિભાગ દ્વારા વિશ્વ વરૂ દિવસની કરવામાં આવી ઉજવણી,જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

ઘુડખર અભ્યારણ વિભાગ-ધ્રાંગધ્રા દ્વારા આદર્શ નિવાસી શાળા ખાતે વિશ્વ વરૂ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે ઘુડખર અભ્યારણ વિભાગ-ધ્રાંગધ્રા દ્વારા આદર્શ નિવાસી શાળા ખાતે વિશ્વ વરૂ દિવસની ઉજવણીના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે ઘુડખર અભ્યારણ વિભાગ-ધ્રાંગધ્રા દ્વારા આદર્શ નિવાસી શાળા ખાતે વિશ્વ વરૂ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા તેમજ વન વિભાગના અધિકારઓ સહિત હળવદ સ્થાનિક આગેવાનો, વન્યજીવ પ્રેમીઓ, એન.જી.ઓ. શાળા કોલેજના વિદ્યાર્થીઓ તથા અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા.ઈકોલોજીકલ સંતુલન જાળવવામાં વરૂઓનાં મહત્વ વિશે જાગૃતિ વધારવાનાં હેતુથી તા.13 ઓગસ્ટનો દિવસ વિશ્વભરમાં વિશ્વ વરૂ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉલ્લેખનિય છે ક જૈવિક પારિસ્થિતિ તંત્રમાં વરૂઓની ભૂમિકા અને મહત્વ વિશે વધુને વધુ લોકો જાણે અને તેમનાં સંરક્ષણ વિશે પણ જાગૃતિ વધે તે માટે આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વરૂ સોફ્ટ રિલીઝ સેન્ટર ધ્રાંગધ્રા ખાતે પણ આકાર લઈ રહ્યું છે, જે ટૂંક સમયમાં વરૂના રી-હેબિટેશન માટે ઉપલબ્ધ થશે. આમ ગુજરાતમાં વન્ય પ્રાણીઓનાં સંરક્ષણમાં અતિ મહત્વની કહી શકાય તેવી આ સફળ ગાથામાં ઘુડખર અભયારણ્ય ધ્રાંગધ્રાની વિશેષ પાયારૂપ ભૂમિકા રહી છે

Next Story