સુરેન્દ્રનગર: ITIના ઈન્સ્ટ્રક્ટરની માનવતા, કોરોનામાં અનાથ બનેલા બાળકોને આપશે વિના મૂલ્યે શિક્ષણ
કોરોનામાં અનાથ બનેલા બાળકોને આપશે વિના મૂલ્યે શિક્ષણ, બાળકોની રોજગારીની જવાબદારી પણ સ્વીકારી.
સુરેન્દ્રનગરની આઈ.ટી.આઈ.માં કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકને ITIના વેલ્ડરટ્રેડના ઈન્સ્ટ્રક્ટર વિના મૂલ્યે શિક્ષણ આપશે તો તેમની રોજગારીની જવાબદારી પણ સ્વીકારવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં મહામારીના કારણે અનેક લોકોએ સ્વજનો, વડીલો ગુમાવ્યા છે. તેમાંય ખાસ કરીને કેટલા કે તો માતા-પિતા પણ ગુમાવતા નિરાધાર બની ગયા છે. ત્યારે આવા બાળકો માટે સુરેન્દ્રનગરની આઇ.ટી.આઈ.માં મફત શિક્ષણથી લઇને રોજગારીની જવાબદારી વેલ્ડર ટ્રેડના સુપરવાઇઝર ઈન્સ્ટ્રક્ટરે લેતા બાળકોના જીવનમાં રોશનીનું એક નવું કિરણ ખીલી ઉઠશે.
એમ.પી. શાહ આઈ.ટી.આઈ. સુરેન્દ્રનગરના વેલ્ડર ટ્રેડના સુપરવાઇઝર ઈન્સ્ટ્રક્ટર દીપક રાઠોડ દ્વારા તેમની સંસ્થામાં કોરોમાં માતાપિતા ગુમાવી દીધા છે તેવા બાળકને એકવર્ષીય કોર્ષ 2021-2022 અને બે વર્ષીય કોર્સ 2021-2023 દરમિયાન એડમિશન લેશે તેવા બાળકોને તેના મફત શિક્ષણથી માંડીને રોજગારી આપવાની જવાબદારી નિભાવવામાં આવશે.
આ અંગે જિલ્લાના લોકોને પણ અપીલ કરાઇ હતી કે તમારી આસપાસ રહેતા નિરાધાર બાળકો જણાય તો આઈટીઆઈ સુરેન્દ્રનગરનો સંપર્ક કરી તા- 3-07-2021થી 20-07-2021 સુધી એડમિશન પ્રક્રિયા ચાલુ છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT