/connect-gujarat/media/post_banners/d10e2a10443e1d3313ab5776c4c3f5c0434498f69a993520ee6ef2845e568e65.jpg)
સત્યના પારખા કરાવવા માટે ગરમ તેલમાં હાથ નાખવા વિશે તમે સાંભળ્યું હશે પણ અમે તમને બતાવવા જઇ રહયાં છે આવી જ એક ઘટનાનો વિડીયો..આ વિડીયો સુરેન્દ્રનગરના ધાંગ્રધાનો હોવાનું બહાર આવ્યું છે.
માનવી ભલે ચંદ્ર પણ પહોંચી ગયો હોય પણ હજી અંધશ્રધ્ધાથી અળગો થયો નથી. રોજબરોજની જીવનચર્યામાં આપણને અંધશ્રધ્ધાના અનેક કિસ્સાઓ જોવા મળતાં હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાનાધ્રાંગધ્રા તાલુકાના રણકાંઠાના નિમકનગર ગામે બે પાડોશીઓ વચ્ચે ઝગડો થયો હતો. ઝઘડામાં કોણ સાચું અને કોણ ખોટું તે જોવા અંધશ્રધ્ધાનો સહારો લેવાયો હતો.
બે પાડોશી વચ્ચે થયેલાં ઝઘડામાં કેવી રીતે અંધશ્રધ્ધાનો ખેલ જોવા મળ્યો હતો. એક કઢાઇમાં તેલ ગરમ કરવામાં આવે છે અને એક પુરૂષ તેમાં હાથ નાંખે છે. પુરૂષના હાથ નાંખ્યા બાદ બે મહિલાઓ ધુણવા લાગે છે. બંને પાડોશીઓ વચ્ચે માતાજીની શ્રધ્ધાના નામે ઝગડો થયો હોવાની વિગતો સપાટી પર આવી છે. ઝગડામાં કોણ સાચું અને કોણ ખોટું જાણવા માટે ગરમ તેલમાં હાથ નાંખવામાં આવ્યો હતો. શહેરોની સાથે હવે ગામડાઓ પણ હવે ડીજીટલ થવા લાગ્યાં છે તેવામાં હજી અંધશ્રધ્ધામાં લોકો અંધ હોવાનું વિડીયો પરથી ફલિત થઇ રહયો છે.