સુરેન્દ્રનગર:સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલ ઓવરફલો, લીલાપુર ગામ આસપાસના 200 વિઘાથી વધારે જમીનમાં પાણી ફરી વળ્યા

પંપિંગ સ્ટેશનની લાપરવાહીના કારણે કેનાલ ઓવરફલો થઈ હતી. જેથી કેનાલનું પાણી સુરેન્દ્રનગરના લીલાપુર ગામના ખેતરમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ બન્યા

New Update
સુરેન્દ્રનગર:સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલ ઓવરફલો, લીલાપુર ગામ આસપાસના 200 વિઘાથી વધારે જમીનમાં પાણી ફરી વળ્યા

સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલના પંપિંગ સ્ટેશનની લાપરવાહીના કારણે કેનાલ ઓવરફલો થઈ હતી. જેથી કેનાલનું પાણી સુરેન્દ્રનગરના લીલાપુર ગામના ખેતરમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ બન્યા હતા. સુરેન્દ્રનગરના લખતર ઢાંકી પમ્પીંગ સ્ટેશનથી સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે.

ત્યારે પંપિંગ સ્ટેશનની લાપરવાહીના કારણે કેનાલ ફરી ઓવરફલો થતા કેનાલનું ચિક્કાર પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ બન્યા હતા. એમાંય કેનાલનું ઓવરફ્લો પાણી અંદાજે 200 વિઘાથી વધારે જમીનમાં ખેતરના ઉભા પાકમાં ઘુસી જતા ખેતરો જળબંબાકાર બની ગયા હતા ત્યારે ખેડૂતોનો મોઢામાં આવેલો કોળીયો ઝુંટવાઇ જતા જગતનો તાત ચિંતામાં મુકાયો હતો. ખેતરોમાં એરંડાના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે.

Read the Next Article

ભરૂચ : આમોદમાં નેશનલ હાઇવે 64 ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન,વરસાદી પાણીની જમાવટથી ખાબોચિયા છલકાયા

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે

New Update

આમોદમાં ખખડધજ હાઇવેથી લોકો પરેશાન

વરસાદના કારણે હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય

હાઇવે પર ખાડામાં પાણી ભરાતા ખાબોચિયા છલકાય

સગર્ભા મહિલાને પ્રસૂતિમાં પણ પડી મુશ્કેલી

સમારકામ માટે વાહન ચાલકોમાં ઉઠી માંગ

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે. સર્જાયેલ પરિસ્થિતિને કારણે રાહદારીઓહાઇવેને અડીને આવેલા રહેણાંક વિસ્તારો અને દુકાનદારો સહિત લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લાના આમોદ નેશનલ હાઇવે 64 વરસાદમાં અત્યંત બિસ્માર બની ગયો છે.જેના કારણે આમોદ નગરની ગર્ભવતી મહિલાની તબિયત લથડતા અને અસહ્ય પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા આમોદથી જંબુસર હોસ્પિટલ લઈ જવા માટે વાહન લઈને  નીકળ્યા હતા,પરંતુ ખખડધજ અને મસમોટા ખાડાઓ અને ટ્રાફિકને લઈ હોસ્પિટલની સારવાર મળતા પહેલા જ હાઇવે પર જ ખાડાઓના સામ્રાજ્યને લઈને અસહ્ય પીડાઓ સાથે ડીલેવરી થઈ ગઈ હતી. પરિવારના મોભીએ હાઇવે વહીવટી તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત વાહનચાલકો પણ ખરાબ રસ્તા મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે.મોસમના પહેલા વરસાદમાં જ હાઇવે ગાયબ થઈ ગયો છે.અને મસમોટા કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થતા કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીની અને ભ્રષ્ટાચારની પોલની ચાડી ખાતા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે. વહેલી તકે ભ્રષ્ટાચાર મુક્ત હાઇવેનું પેચિંગવર્ક કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.