સુરેન્દ્રનગર:સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલ ઓવરફલો, લીલાપુર ગામ આસપાસના 200 વિઘાથી વધારે જમીનમાં પાણી ફરી વળ્યા

પંપિંગ સ્ટેશનની લાપરવાહીના કારણે કેનાલ ઓવરફલો થઈ હતી. જેથી કેનાલનું પાણી સુરેન્દ્રનગરના લીલાપુર ગામના ખેતરમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ બન્યા

New Update
સુરેન્દ્રનગર:સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલ ઓવરફલો, લીલાપુર ગામ આસપાસના 200 વિઘાથી વધારે જમીનમાં પાણી ફરી વળ્યા

સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલના પંપિંગ સ્ટેશનની લાપરવાહીના કારણે કેનાલ ઓવરફલો થઈ હતી. જેથી કેનાલનું પાણી સુરેન્દ્રનગરના લીલાપુર ગામના ખેતરમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ બન્યા હતા. સુરેન્દ્રનગરના લખતર ઢાંકી પમ્પીંગ સ્ટેશનથી સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે.

ત્યારે પંપિંગ સ્ટેશનની લાપરવાહીના કારણે કેનાલ ફરી ઓવરફલો થતા કેનાલનું ચિક્કાર પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ બન્યા હતા. એમાંય કેનાલનું ઓવરફ્લો પાણી અંદાજે 200 વિઘાથી વધારે જમીનમાં ખેતરના ઉભા પાકમાં ઘુસી જતા ખેતરો જળબંબાકાર બની ગયા હતા ત્યારે ખેડૂતોનો મોઢામાં આવેલો કોળીયો ઝુંટવાઇ જતા જગતનો તાત ચિંતામાં મુકાયો હતો. ખેતરોમાં એરંડાના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.