સુરેન્દ્રનગર : મહારાષ્ટ્રનો પાક ગણાતી શેરડીનું સફળ વાવેતર, અન્ય ખેડૂતોને નવી રાહ...

સુકા મલક તરીકે ઓળખાતા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ પરંપરાગત પાકનું વાવેતર છોડી શેરડીના વાવેતરનો સફળ પ્રયોગ કર્યો છે

New Update
સુરેન્દ્રનગર : મહારાષ્ટ્રનો પાક ગણાતી શેરડીનું સફળ વાવેતર, અન્ય ખેડૂતોને નવી રાહ...

સુકા મલક તરીકે ઓળખાતા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ પરંપરાગત પાકનું વાવેતર છોડી શેરડીના વાવેતરનો સફળ પ્રયોગ કર્યો છે. જિલ્લાના ખોલડીયાદ, ટીંબા, બાળા અને રામપરા સહીતાના ગામોમાં અંદાજે 100 વીધાથી વધુ જમીનમાં શેરડીનો પાક લહેરાઇ રહ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની અછતને લઇને આવળ, બાવળ અને બોરડીના પ્રદેશ તરીકે ઓળખાતો હતો. એટલે કે, સુકા પ્રદેશમાં થતી કાંટાળી વનસ્પતિઓના પ્રદેશ તરીકે ઓળખાતો હતો, પરંતુ નર્મદાના નીર આવતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ પણ વાવેતરની પેટર્નમાં ધરખમ ફેરફાર કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાભાગે કપાસ, જીરૂ, ઘઉં, ચણા અને બાજરી જેવા પરંપરાગત પાકનું જ વાવેતર કરવામાં આવતુ હતું, ત્યારે હવે ખોલડીયાદ, ટીંબા, રામપરા અને બાળા ગામના ખેડૂતોએ અંદાજે ૧૦૦ વીઘા કરતા વધુ જમીનમાં શેરડીનું વાવેતર કર્યું છે. ખોલડીયાદ ગામના ખેડૂત છેલ્લા બે વર્ષથી ૯ વિઘા જમીનમાં શેરડીનું વાવેતર કરે છે. અગાઉ આટલી જ જમીનમાં કપાસના વાવેતરથી માંડ ૫૦ હજાર જેટલી ઉપજ આવતી હતી. જેની સામે ગત વર્ષે શેરડીના વાવેતરથી લગભગ ૩ લાખથી વધુની ઉપજ આવી છે. કપાસનું વાવેતર ખર્ચાળ સાબીત થઇ રહ્યું છે, તેમજ ગુલાબી ઇયળોના ઉપદ્રવથી ઉત્પાદન અને ગુણવત્તામાં પણ ઘટાડો થતાં ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવાની નોબત આવે છે, જ્યારે શેરડીના વાવેતર બાદ બહુ ખર્ચ રહેતો નથી. માત્ર નિયમિત પાણી આપવાથી શેરડીનો પાક સારો થાય છે. હાલ જિલ્લામાં નર્મદા કેનાલમાંથી પીયત માટે પાણી આપવામાં આવે છે. તેથી પાણીના પ્રશ્નની સમસ્યા પણ હલ થઇ ગઇ છે. આ સાથે જ મહારાષ્ટ્ર જેવા રાજ્યનો પાક ગણાતી શેરડીનું સુરેન્દ્રનગર જિલ્લામાં સફળ વાવેતર કરી અહીના ખેડૂતોએ જિલ્લાના અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે.

Read the Next Article

કચ્છમાં ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરાઈ

વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે...

New Update
  • ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ

  • 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ

  • ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી હેરિટેજ સાઇટ જાહેર

  • દરિયા કિનારે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળ્યા

  • પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન પણ બન્યું

Advertisment

કચ્છ જિલ્લાના લખપત વિસ્તારમાં આવેલઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી’ સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરવામાં આવી છે. વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે.

કચ્છ જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ગુનેરી ગામનો 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ છે. કચ્છની સૂકી ધરતી પર જ્યાં રણની રેતી પથરાયેલી હોયત્યાં લીલાછમ મેન્ગ્રોવના વૃક્ષોનું આ જંગલ ખરેખર એક અજાયબી છે. આ અનોખી વિશેષતા અને પર્યાવરણીય મહત્વને કારણે આ સાઇટને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાતની પ્રથમ'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટતરીકે જાહેર કરવામાં આવી છે.

આ વિસ્તારમાં'એવિસેનીયા મરીનાનામની મેન્ગ્રોવ પ્રજાતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ મેન્ગ્રોવ માત્ર વૃક્ષો નથીપરંતુ 20 પ્રવાસી અને 25 સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન છે. જેમાં ફ્લેમિંગોહેરિયર જેવા દુર્લભ જળ પક્ષીઓનો સમાવેશ થાય છે. મેન્ગ્રુવ કાર્બન ડાયોક્સાઇડ શોષીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે અને ચક્રવાત-સુનામી જેવી આફતો વખતે કુદરતી દીવાલનું કામ કરે છે.

Latest Stories