સુરેન્દ્રનગર: ટ્રક નીચે કચડીને મહિલાની હત્યા કરનારા આરોપીઓ ઝડપાયા, હત્યારા પિતા-પુત્રની પોલીસે કરી ધરપકડ

ઉશ્કેરાયેલો રામશી ટ્રક લઈને ધસી આવ્યો અને હાજર લોકો કશું સમજે એ પહેલાં મંજુબેન પર ટ્રક ચડાવીને તેમની હત્યા કરી નાખી

New Update
સુરેન્દ્રનગર: ટ્રક નીચે કચડીને મહિલાની હત્યા કરનારા આરોપીઓ ઝડપાયા, હત્યારા પિતા-પુત્રની પોલીસે કરી ધરપકડ

સુરેન્દ્રનગરના ચોટીલાના નાના કાંધાસર ગામમાં ટ્રક નીચે કચડીને મહિલાની હત્યા કરનારા આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરેન્દ્રનગરના ચોટીલાના નાના કાંધાસર ગામમાં ટ્રક નીચે કચડીને મહિલાની હત્યા કરનારા આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. જેમાં પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓના નામ રામશી અને અશ્વિન છે. જે બંને પિતા-પુત્ર છે. ચોટીલાના કાંધાસર ગામમાં રહેતા મંજુબેન વિષ્ણુદાસ ગોંડલિયાના પરિવારની દીકરીની રામશી મેણીયા નામના શખ્સે છેડતી કરી હતી.

જેને લઈને બંને પરિવારો વચ્ચે થોડા દિવસોથી માથાકૂટ ચાલતી હતી. આ વાતને લઈને બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન અશ્વિન નામનો શખ્સ ધારિયું લઈને મંજુબેનને મારવા ધસી આવતાં હંગામો થયો હતો અને લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદ ઉશ્કેરાયેલો રામશી ટ્રક લઈને ધસી આવ્યો અને હાજર લોકો કશું સમજે એ પહેલાં મંજુબેન પર ટ્રક ચડાવીને તેમની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ પોલીસે આરોપી પિતા-પુત્રને ઝડપી લઈને બંને સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં ભારે વરસાદ વચ્ચે ખેતી નિષ્ફળ જવાની સંભાવના, 15 પશુઓના પણ મોત...

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ વ્યાપક વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગલોડીયા તેમજ રોધરા ગામે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે.

New Update
  • ખેડબ્રહ્મા પંથકમાં વરસ્યો હતો અનરાધાર વરસાદ

  • લક્ષ્મીપુરાગલોડીયા રોધરા ગામે તારાજી સર્જાય

  • 700 એકર જમીન ખેતી નિષ્ફળ જવાની સંભાવના

  • વરસાદ વચ્ચે 15 જેટલા પશુઓના મોત થયા

  • નુકસાન અંગે તંત્ર પાસે લોકોની મદદની અપેક્ષા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ વ્યાપક વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગલોડીયા તેમજ રોધરા ગામે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે. રોધરા ગામે 700 એકર જેટલી જમીન ઉપર ખેતી નિષ્ફળ જવાની સંભાવનાઓ છે. તો બીજી તરફ 15 જેટલા પશુઓના મોત થયા છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના રોદરા ગામે વરસેલા 15 ઇંચ જેટલા વરસાદના પગલે સ્થાનિક કક્ષાએ ભારે તારાજી સર્જાય છે. ભારે વરસાદના પગલે સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ 700 એકર જેટલી જમીન ઉપર મગફળીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. અહી 100 ટકા ડ્રીપ ધરાવનારા ગામની સમગ્ર ટપક સિંચાઈ પણ ધસમસતા પાણીના પ્રવાહમાં ખેંચાઈ ચૂકી છેજેના પગલે ખેડૂતોને પાક સહિત ડ્રીપ તણાઈ જવાથી વ્યાપક નુકસાન સર્જાયું છે. જોકેઅડધી રાત્રે આવેલા પૂરના પગલે 10થી 15 જેટલા પશુઓના પણ મોત થયા છે. ગામમાં થયેલા પારાવાર નુકસાન મામલે સ્થાનિકો તંત્ર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે.