/connect-gujarat/media/post_banners/99c32b1408491713bb96db5ef93ab4a28b956f196da915cc64e7dcd71de717cf.jpg)
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર તળપદા કોળી પટેલ સમાજ સાથે રાજકીય પક્ષઓ દ્વારા અન્યાય કરાતો હોવાના આક્ષેપ સાથે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું
ભાજપ પક્ષ દ્વારા સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ચુવાળીયા કોળી સમાજમાં ટિકિટ આપી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે તો બીજી બાજુ કોંગ્રેસ પક્ષ દ્વારા હજુ સુધી લોકસભા માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. આમ રાજકીય પક્ષો દ્વારા તળપદા કોળી સમાજ સાથે અન્યાય કરી અવગણના કરવામાં આવતા તળપદા કોળી સમાજ પણ હવે લડી લેવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે લીંબડી ખાતે આવેલ તળપદા કોળી સમાજની બોર્ડીંગમાં મહાસંમેલન યોજાયુ હતુ. જેમાં તળપદા કોળી સમાજના સાંસદ, પૂર્વસાંસદ, પૂર્વ ધારાસભ્ય સહિત આગેવાનો અને યુવાનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહયા હતા અને રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલ અન્યાય મુદ્દે રણનિતિ નક્કી કરવામાં આવી હતી અને કોંગ્રેસ પક્ષ દ્વારા સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર તળપદા કોળી સમાજના વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી હતી તેમજ કોંગ્રેસ પક્ષ ટિકિટ નહિ પણ આપે તો તળપદા કોળી સમાજમાંથી અપક્ષ ઉમેદવારને લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતારશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.