પાકિસ્તાનની જેલમાં કેદ સુત્રાપાડાના માછીમારનું મોત, 1 મહિના સુધી પરિજનોને જાણ પણ નહીં કરાય...

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનો માછીમાર છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ હતો

New Update
પાકિસ્તાનની જેલમાં કેદ સુત્રાપાડાના માછીમારનું મોત, 1 મહિના સુધી પરિજનોને જાણ પણ નહીં કરાય...

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનો માછીમાર છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ હતો, ત્યારે માછીમાર ભારત પરત જીવીત તો ન આવ્યો, પરંતુ તેના મોતના સમાચાર પણ પરિજનોને એક મહિના બાદ મળ્યા છે. જોકે, સરકાર કોઈ પણ હોય પરંતુ મોતનો મલાજો નહીં જળવાતા અન્ય માછીમારોમાં આક્રોશ ફેલાયો છે.

ગીર સોમનાથના સુત્રાપાડામાં રહેતા માછીમાર જેન્તી કરશન સોલંકીનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયું છે, તેવા સમાચાર મોતના એક મહીના બાદ મળતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. આ માછીમારનું મોત એક મહિના પહેલા પાકિસ્તાનની જેલમાં થયુ હતું, જ્યારે પરીવારજનોએ ફિશરીઝ કચેરીએ ધક્કા ખાતા પણ જવાબ ન મળ્યો હતો. ગત વર્ષ 2020ની ફેબ્રુઆરીમાં પોરબંદરની રસુલ સાગર નામની માછીમારી બોટમાં માછીમારી દરમ્યાન ભારતીય જળ સીમા નજીકથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા માછીમાર જેન્તી સોલંકીનું અપહરણ કરીને જેલમાં રાખવામાં આવ્યો હતો.

કોરોના મહામારી પહેલા પાકિસ્તાન જેલમાંથી માછીમારોના પરિવારજનો પત્ર વ્યવહાર તેમજ ક્યારેક જરૂરી સમયે ફોનથી પણ વાતચીત અને ખબર-અંતર જાણતા હતા. પરંતુ હવે પત્ર અને ફોન વ્યવહાર પણ બંધ થયા છે, ત્યારે હવે 500થી વધુ માછીમારો જે પાકિસ્તાન જેલમાં કેદ છે, તેમના પરિવારો પણ ચિંતિત બની સરકારને મદદ માટે અપીલ કરી રહ્યા છે. ત્યારે હાલ તો માછીમારનો મૃતદેહ પાકિસ્તાનથી વાઘા બોર્ડર ભારતીય ફિશરીઝ વિભાગના અધિકારીઓને અને ત્યારબાદ મૃતદેહ તેના પરીવારને સોંપવામાં આવશે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories