કડીથી કલકત્તા જતાં ACનો જથ્થો સીધો નવસારી ઠલવાયો, સગેવગે થયેલા AC પ્રકરણમાં 2 શખ્સોની ધરપકડ...

નવસારી LCB દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.

New Update
કડીથી કલકત્તા જતાં ACનો જથ્થો સીધો નવસારી ઠલવાયો, સગેવગે થયેલા AC પ્રકરણમાં 2 શખ્સોની ધરપકડ...

કડીથી કલકત્તા નીકળેલા ACના જથ્થા સાથે ટ્રક ચાલક સીધો નવસારી આવી પહોચી શહેરના વિરાવળ વિસ્તાર નજીક તે જથ્થો ઉતારી સગેવગે કરવામાં આવ્યો હતો. ટ્રકમાં લાગેલ GPSની મદદથી ટ્રક માલિકને ટ્રક નવસારીમાં છેલ્લા 5 કલાકથી ઉભો રહેવાની જાણ થતા તરત નવસારી ગ્રામ્ય પોલીસનો સંપર્ક કર્યો હતો, અને કંઈક ખોટું થયું હોય એની ફરિયાદ આપી હતી. જે અંગે નવસારી LCB દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસે પહેલા એક આરોપીની ધરપકડ કરી અન્ય એકની શોધખોળ શરૂ કરી હતી.

તો બીજી તરફ, નવસારીના એક ACના વ્યાપારીને ત્યાં મોટા પ્રમાણમાં ACનો જથ્થો પોલીસને મળી આવ્યો છે. પોલીસે સગેવગે થયેલા 364 પૈકી 180 AC યુનિટ રિકવર કર્યા હતા, જ્યારે અન્ય જથ્થો સુરતમાં રહેલા અન્ય એક વ્યક્તિ પાસે હોવાનો પોલીસને શક છે. જે આધારે ટીમ બનાવી ગ્રામ્ય પોલીસે શોધખોળ શરૂ કરી છે. સમગ્ર મામલાને લઈને પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, અને અન્ય 3 શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેઓની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Read the Next Article

સુરેન્દ્રનગર : ખેડૂતોના પ્રશ્નો અંગે કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ,રોડ પર ધરણા બાદ કચેરીનો ઘેરાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

New Update

કોંગ્રેસ દ્વારા ખેડૂત પ્રશ્નો અંગે કલેકટર કચેરીનો ઘેરાવ

ખેડુત અધિકાર યાત્રાનું કરાયું આયોજન

રોડ પર ધરણા બાદ કલેક્ટર કચેરીનો ઘેરાવ

ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કરાય માંગ

કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરી ઉગ્ર રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.ખેડૂતોના પાક વળતરપ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભઅને પશુપાલકોને પોષણ સમભાવ સહિતની મુખ્ય માંગણીઓ સાથે આ આંદોલન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ખેડૂત આગેવાન વિક્રમ રબારી સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા હતા.

આ રેલી સુરેન્દ્રનગરના રાજપટલ પાસે આવેલા આંબેડકર ચોકથી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી યોજાઇ હતી. કલેકટર કચેરી પાસે પહોંચીને પ્રદર્શનકારીઓ એ રસ્તા પર બેસીને ધરણાં કર્યા હતા અને સરકાર પર ખેડૂતોનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.આંદોલનકારીઓએ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી. જો આગામી સમયમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

Latest Stories