દાહોદના ઇતિહાસની પ્રથમ આગ..! : સ્પેર પાર્ટની દુકાનમાં આગ એવી લાગી કે, 8 કલાક બાદ પણ કાબુમાં ન આવી...

પ્રથમ આગ 8 કલાક વીતવા આવ્યા હોવા છતાંય સ્પેર પાર્ટની દુકાનમાં આગ ઉપરથી કાબુ ન મેળવાયો લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાક થયો.

New Update
દાહોદના ઇતિહાસની પ્રથમ આગ..! : સ્પેર પાર્ટની દુકાનમાં આગ એવી લાગી કે, 8 કલાક બાદ પણ કાબુમાં ન આવી...

દાહોદમાં ઇતિહાસની પ્રથમ આગ 8 કલાક વીતવા આવ્યા હોવા છતાંય સ્પેર પાર્ટની દુકાનમાં આગ ઉપરથી કાબુ ન મેળવાયો લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાક થયો.

દાહોદમાં આગ લાગવાની ઘટનાથી દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકશાન થવા પામવાની ઘટના સામે આવી છે. દાહોદના ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલી ચિરાગ ઓટો પાર્ટ્સ નામની દુકાનમાં ભભૂકી ઉઠેલી આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે, કદાચ દુકાન માલીક અને આસપાસના લોકોને પણ અનુમાન નહી હોય કે, આ વિકરાળ બનેલી આગ દુકાનમાં રાખેલા લાખો રૂપિયાના સામાનને ખાક બનાવી દેશે. દુકાનમાં આગ લાગવાની ઘટનાથી ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. જોકે આગ લાગવાની ઘટનામાં આસપાસના લોકો ભેગા થતા દુકાન માલિકને જાણ કરાઈ હતી, અને સાથે જ પાલિકાના ફાયર ફાઇટરોને પણ જાણ કરાતા સાધન સામગ્રી લઈને દોડી આવેલા ફાયરના જવાનોએ ચાર ચાર અગ્નિશામક દળના સંસાધનોથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિકરાળ બનેલી આગે જોતજોતામાં દુકાનમાં મુકેલા લાખો રૂપિયાના સામાનને બાળીને ભસમી ભૂત કરી નાખ્યો હતો. રાત્રીના 9 વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી, અને સવારે 4 વાગ્યાં સુધી પણ આગ કાબુમાં આવી ન હતી, ત્યારે લગભગ 8 કલાક સુધી ફાયરના સંસાધનો દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આગ કાબુમાં ન આવતા તમામના જીવ પડીકે બંધાયા હતા. જોકે, કહી શકાય કે, દાહોદના ઇતિહાસની આ પ્રથમ આગ એવી લાગી કે, 8 કલાક બાદ પણ કાબુમાં ન આવી હતી.

Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.