CM ભૂપેન્દ્ર પટેલને મળેલી ભેટ-સોગાદોની થશે હરાજી,મળેલી રકમ દીકરીઓના શિક્ષણમાં વપરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગલે પગલે ચાલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હવે તેમને મળેલી ભેટ-સોગાદની હરાજી કરશે

New Update
CM ભૂપેન્દ્ર પટેલને મળેલી ભેટ-સોગાદોની થશે હરાજી,મળેલી રકમ દીકરીઓના શિક્ષણમાં વપરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગલે પગલે ચાલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હવે તેમને મળેલી ભેટ-સોગાદની હરાજી કરશે અને તેના થકી પ્રાપ્ત થનાર રકમ સચિવાલયમાં કામ કરતા વર્ગ 4ના કર્મચારીઓની દીકરી ના અભ્યાસ માટે આપવામાં આવશે. મુખ્યમંત્રીએ તોશાખાના ભેટ - સોગાદોની સર્વે કરવા અધિકારીઓને સૂચના આપી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેઓને મળેલી ભેટ - સોગાદોની હરાજી કરવામાં આવશે. હરાજી દ્વારા એકઠા થનાર નાણાં દીકરી ના અભ્યાસ માટે વાપરવામાં આવશે. એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યાર સુધીમાં મળેલી ભેટની હરાજી કરી તેમાંથી જે રકમ એકઠી થશે તે રકમ સચિવાલયમાં કામ કરતા વર્ગ 4 ના કર્મચારીઓની દીકરી ના અભ્યાસ માટે વાપરવામાં આવશે. મહત્વનું છે કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રણાલી શરૂ કરી હતી.વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમને મળેલ ભેટ –સોગાદની હરાજી કરવામાં આવતી હતી અને તેનાથી મળતા નાણાંનો ઉપયોગ લોક કલ્યાણ અર્થે કરાતો હતો. તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ આવો જ નિર્ણય લેવામાં આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમના કાર્યકાળ દરમિયાન ભેટમાં મળેલી ચીજ વસ્તુઓનું પ્રદર્શન સાથે હરાજી નું આયોજન કરવામાં આવ્યું હતું

Latest Stories
Read the Next Article

ભરૂચ: ગ્રામપંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં બેઠક યોજાય

ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી

New Update
ચૂંટણી કામગીરી
ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ મધ્યમસત્ર પેટા ચૂંટણી કામે ચૂંટણીલક્ષી જુદી જુદી કામગીરી માટે નિમણૂંક થયેલા જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિનો પૂરતો તાગ મેળવીને કાર્ય આયોજન હાથ ધરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચના આપી હતી.
આ બેઠક દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર  એન.આર.ધાધલે બેઠકનું સંચાલન કરતાં અગત્યના મુદાઓ જેવા કે, કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ બંદોબસ્ત, મેન પાવર, તાલીમ, વાહન વ્યવસ્થા, RO અને ARO ની નિયુક્તિ, મતપત્રકો અને પ્રતિકોની ફાળવણી, મતપત્રો છપામણી કામગીરી તેમજ છાપકામ બાદ રદ/ ખરાબ થયેલા મતપત્રો નાશ કરવા અંગેની કામગીરી, પોલીંગ સ્ટાફ, મતગણતરી સ્ટાફને તાલીમ,મતદાન મથકો પર પ્રાથમિક સુવિધા, સ્ટ્રોંગરૂમ તથા કાઉન્ટીંગ હોલ, ચૂંટણીખર્ચના હિસાબોની ચકાસણી, વાહન ફાળવણી, ચૂંટણીના સ્ટાફને ટપાલ મતપત્રો આપવા અને આદર્શ આચાર સંહિતાના જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.
Latest Stories