હવામાન વિભાગે વરસાદને લઇને આ ત્રણ જિલ્લામાં ઓરેંજ એલર્ટ કર્યું જાહેર

સમાચાર, હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, આગામી દિવસોમાં કેટલાક  એવા જિલ્લામાં હવે વરસાદ થશે.

New Update
હવામાન વિભાગ

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, આગામી દિવસોમાં કેટલાક  એવા જિલ્લામાં હવે વરસાદ થશે. જ્યાં હજુ સુધી  સારો વરસાદ નથી વરસ્યો. આ નવા જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધવાનો અનુમાન છે. રાજસ્થાન પર એક નવી વરસાદી સિસ્ટમ સર્જાઇ છે તો દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઑફ શૉર ટ્રફ રેખા બનેલી છે તેની અસર રાજ્યના કેટલાક જિલ્લા પર થશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા છે.

આગામી દિવસોમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં થઇ શકે છે. વલસાડ, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. આગામી પાંચથી સાત દિવસો સુધી  મધ્ય ગુજરાત, પશ્ચિમ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધવાની આગાહી છે.  વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, મહિસાગર, દાહોદ, ખેડા તથા આણંદ જિલ્લામાં  પણ સારા વરસાદનું અનુમાન છે.

સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ મેઘરાજાએ થોડો આ વિસ્તારમાં વિરામ લીધો છે. જો કે આજે હવામાન વિભાગે વરસાદને લઇને ખાસ કરીને ત્રણ જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યુ છે. ત્રણ જિલ્લામાં ઓરેન્જ, તો 22 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.   

Latest Stories