અમરેલી જિલ્લામાં સરકારી યુનિવર્સીટી સ્થાપવાની માંગ સાથે આંદોલનનો કરાયો પ્રારંભ....

અમરેલીને યુનિવર્સીટી આપવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખીને આજથી સહી જુંબેશનો પ્રારંભ કરાયો

New Update
અમરેલી જિલ્લામાં સરકારી યુનિવર્સીટી સ્થાપવાની માંગ સાથે આંદોલનનો કરાયો પ્રારંભ....

અમરેલી જિલ્લામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જેમ અમરેલીને યુનિવર્સીટી આપવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખીને આજથી સહી જુંબેશનો પ્રારંભ કરાયો હતો. આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ.....અમરેલી જિલ્લામાં આઝાદી બાદ દરેક જિલ્લાઓમાં સરકારી યુનિવર્સિટી કાર્યરત છે, પણ અમરેલી જિલ્લામાં આજ દિન સુધી સરકારી યુનિવર્સીટી ન હોવાથી NSUI દ્વારા કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખવા અને વિદ્યાર્થીઓની બોર્ડમાં સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં સરકારી યુનિવર્સિટી સ્થપાઈ તો નવા નવા કોર્સ આવી શકે અને સૌરાષ્ટ્ર વિદ્યાર્થીને ભણવા માટે છેક રાજકોટ સુધી ધક્કા ખાવા ન પડે માટે વિદ્યાર્થીઓ પણ આગળ આવ્યા છે

અમરેલી આજુબાજુના તમામ જિલ્લા જૂનાગઢ, રાજકોટ, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ સરકારી યુનિવર્સીટી હોય ત્યારે અમરેલી જિલ્લો કેમ બાકાત રાખવામાં આવ્યો છે તેવું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં સરકારી યુનિવર્સિટી સ્થપાઈ તે માટે અમરેલી જિલ્લાની સાવરકુંડલાની કોલેજોમાં આજથી કેતન ખુમાણની આગેવાનીમાં આંદોલનનો અધ્યાય આરંભ કરાયો છે. આ આંદોલનમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બેનરોમાં સહીઓ કરીને મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની લાગણીઓ વ્યક્ત કરાઈ છે.

Read the Next Article

અંકલેશ્વર : માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલમાં આયોજન કરાયું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણીના અમલીકરણ અંગે ચર્ચા કરાય

  • તબીબવર્ગવેપારી સહિત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થવા અવસર પર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશિષ્ટ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું હતું.જેમાંએક રાષ્ટ્ર એક ચૂંટણીની અવધારણા અને તેના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંતએક રાષ્ટ્ર એક ચૂંટણીના વિવિધ ફાયદાઓ વિશે ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી.

આ અવસરેએક રાષ્ટ્ર એક ચૂંટણીના નિર્ણયને તમામ ઉપસ્થિતોએ આવકારીPM મોદીના 11 વર્ષના કાર્યકાળને વધાવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી જનક બગદાણાભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીઅંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ સહિત તબીબ વર્ગવેપારીઓ અને ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.