ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવાનો રાજ્ય સરકારનો પ્રયત્ન,વિવિધ યોજનાઓ થકી બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહે તેવો પ્રયાસ

ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવાનો પડકાર રાજ્ય સરકારે ઝીલ્યો છે. રાજ્યમાં કુપોષણ નાબુદી માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે.

New Update
  • ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવાનો પ્રયાસ

  • રાજ્ય સરકારે શરૂ કરી વિવિધ યોજના

  • પ્રાથમિક શાળામાં પૌષ્ટિક નાસ્તોની કરાઈ પહેલ

  • પોષણક્ષમ ભોજનથી શાળાઓમાં બાળકોની સંખ્યામાં વધારો

  • રાજ્યના 42 લાખથી વધુ બાળકોને મળી રહ્યો છે લાભ

ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવાનો પડકાર રાજ્ય સરકારે ઝીલ્યો છે. રાજ્યમાં કુપોષણ નાબુદી માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. કુપોષણ મુક્ત ગુજરાત અભિયાનમુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનામુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાદૂધ સંજીવની યોજના અને પીએમ પોષણ યોજના તેના ઉદાહરણ છે.

દરેક બાળકને દરરોજ પોષણયુક્ત ખોરાક મળે તે માટે ગુજરાત સરકારે ભગીરથ પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાત સરકારના પોષણ અભિયાનને અમલી બનાવતા મીડ-ડે મિલના સંચાલક દ્વારા તે અંગેની માહિતી આપવામાં આવી હતી.

ઉત્તમ શિક્ષણની સાથે પૌષ્ટિક આહાર મળે તે માટે રાજ્યની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. તેમાં સુખડીચણાવિવિધ પ્રકારના કઠોળ અને દાળ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ રાજ્યના 42 લાખથી વધુ બાળકોને મળી રહ્યો છે. આ યોજનાના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી વધી છે.

આ યોજનાના કારણે બાળકોને શાળાએ આવવામાં રુચિ પેદા થઈ રહી છે. સવારની પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓની હાજરી 100 ટકાએ પહોંચી છે. આ યોજનાઓ હેઠળ ભોજનની ગુણવત્તા તેમજ સ્વચ્છતા અંગે ખાસ કાળજી લેવામાં આવી રહી છે. મિડ-ડે મીલ કેન્દ્રોમાં ભોજન તૈયાર કરતા પહેલા સાફ-સફાઈ માટે ચકાસણી કરવામાં આવે છેજેથી બાળકોને સુરક્ષિતપૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન મળી રહે. આ યોજના મજબૂત ભારતનો આધારસ્તંભ  બની રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

Read the Next Article

ISRO દેશનું બીજું સૌથી મોટું અવકાશ સ્ટેશન ટૂંક સમયમાં ગુજરાતમાં બનશે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) હવે ગુજરાતને દેશની અવકાશ ટેકનોલોજીમાં મોટી ભૂમિકા આપવા જઈ રહ્યું છે. હા, દેશનું બીજું સૌથી મોટું અવકાશ સ્ટેશન

New Update
isro

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) હવે ગુજરાતને દેશની અવકાશ ટેકનોલોજીમાં મોટી ભૂમિકા આપવા જઈ રહ્યું છે. હા, દેશનું બીજું સૌથી મોટું અવકાશ સ્ટેશન ટૂંક સમયમાં ગુજરાતમાં બનવા જઈ રહ્યું છે.

આ માહિતી ISROના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ના ડિરેક્ટર નિલેશ દેસાઈએ આપી છે. તેમણે જણાવ્યું હતું કે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. તેનો અંદાજિત ખર્ચ 10,000 કરોડ રૂપિયા હશે. નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે આ નવું સ્પેસ સ્ટેશન દીવ અને વેરાવળ વચ્ચે બનાવવામાં આવશે. અહીંથી ISRO તેના PSLV અને SALV રોકેટ લોન્ચ કરશે.

તેનું સ્થાન ખૂબ જ વ્યૂહાત્મક રીતે પસંદ કરવામાં આવ્યું છે કારણ કે ભૂમધ્ય રેખાની નજીક ગુજરાતની સ્થિતિ અવકાશ મિશન માટે મોટો ફાયદો આપે છે.

ગુજરાતની પોતાની 'સ્પેસ મિશન પોલિસી'

જેમ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તરે સ્પેસ નીતિ લાગુ કરી છે. ગુજરાત સરકારે પણ નવી 'સ્પેસ મિશન પોલિસી' શરૂ કરી છે. તેનો ઉદ્દેશ્ય રાજ્યને સ્પેસ ટેકનોલોજી અને રિસર્ચ ક્ષેત્રે અગ્રેસર બનાવવાનો છે. આ નીતિ ફક્ત ISRO ને જ મદદ કરશે નહીં, પરંતુ યુવાનોને પણ નવી તકો મળશે.

ISRO ના આગામી મોટા લક્ષ્યો

નીલેશ દેસાઈએ જણાવ્યું હતું કે ISRO હવે તેના 70 ટકા મિશન કમ્યુનિકેશન, નેવિગેશન અને રિમોટ સેન્સિંગ સિસ્ટમ્સ પર કેન્દ્રિત કરી રહ્યું છે. આ ઉપરાંત ISRO આગામી ત્રણ મોટા પ્રોજેક્ટ્સ ચંદ્રયાન-5 મિશન, ગગનયાન મિશન** (જેમાં માનવોને અવકાશમાં મોકલવામાં આવશે) અને શુક્ર ઓર્બિટર મિશન પર પણ નજર રાખી રહ્યું છે. આ બધાને 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.