ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવાનો રાજ્ય સરકારનો પ્રયત્ન,વિવિધ યોજનાઓ થકી બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહે તેવો પ્રયાસ

ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવાનો પડકાર રાજ્ય સરકારે ઝીલ્યો છે. રાજ્યમાં કુપોષણ નાબુદી માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે.

New Update
  • ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવાનો પ્રયાસ

  • રાજ્ય સરકારે શરૂ કરી વિવિધ યોજના

  • પ્રાથમિક શાળામાં પૌષ્ટિક નાસ્તોની કરાઈ પહેલ

  • પોષણક્ષમ ભોજનથી શાળાઓમાં બાળકોની સંખ્યામાં વધારો

  • રાજ્યના 42 લાખથી વધુ બાળકોને મળી રહ્યો છે લાભ

ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવાનો પડકાર રાજ્ય સરકારે ઝીલ્યો છે. રાજ્યમાં કુપોષણ નાબુદી માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. કુપોષણ મુક્ત ગુજરાત અભિયાનમુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનામુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાદૂધ સંજીવની યોજના અને પીએમ પોષણ યોજના તેના ઉદાહરણ છે.

દરેક બાળકને દરરોજ પોષણયુક્ત ખોરાક મળે તે માટે ગુજરાત સરકારે ભગીરથ પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાત સરકારના પોષણ અભિયાનને અમલી બનાવતા મીડ-ડે મિલના સંચાલક દ્વારા તે અંગેની માહિતી આપવામાં આવી હતી.

ઉત્તમ શિક્ષણની સાથે પૌષ્ટિક આહાર મળે તે માટે રાજ્યની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. તેમાં સુખડીચણાવિવિધ પ્રકારના કઠોળ અને દાળ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ રાજ્યના 42 લાખથી વધુ બાળકોને મળી રહ્યો છે. આ યોજનાના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી વધી છે.

આ યોજનાના કારણે બાળકોને શાળાએ આવવામાં રુચિ પેદા થઈ રહી છે. સવારની પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓની હાજરી 100 ટકાએ પહોંચી છે. આ યોજનાઓ હેઠળ ભોજનની ગુણવત્તા તેમજ સ્વચ્છતા અંગે ખાસ કાળજી લેવામાં આવી રહી છે. મિડ-ડે મીલ કેન્દ્રોમાં ભોજન તૈયાર કરતા પહેલા સાફ-સફાઈ માટે ચકાસણી કરવામાં આવે છેજેથી બાળકોને સુરક્ષિતપૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન મળી રહે. આ યોજના મજબૂત ભારતનો આધારસ્તંભ  બની રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.