ગુજરાત કોંગ્રેસ અને NCP વચ્ચે થશે "ગઠબંધન", નજીકના દિવસોમાં થઈ શકે છે સત્તાવાર જાહેરાત..!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP ગઠબંધન સાથે ચૂંટણી લડશે. કોંગ્રેસ અને NCP વચ્ચે બેઠક થઈ ચૂકી છે.

New Update
ગુજરાત કોંગ્રેસ અને NCP વચ્ચે થશે "ગઠબંધન", નજીકના દિવસોમાં થઈ શકે છે સત્તાવાર જાહેરાત..!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP ગઠબંધન સાથે ચૂંટણી લડશે. કોંગ્રેસ અને NCP વચ્ચે બેઠક થઈ ચૂકી છે.જોકે, હજુ કેટલી બેઠક NCPને આપવી તે અંગે ચર્ચા ચાલી રહી છે. પરંતુ 2 દિવસમાં તે અંગે પણ નિર્ણય લેવામાં આવશે. અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ બન્ને પક્ષોએ ચૂંટણી ગઠબંધનથી જ લડી હતી.

ભાજપને ટક્કર આપવા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં NCP અને કોંગ્રેસનું ગઠબંધન થશે. જેમાં અમદાવાદ, આણંદ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં એક એક અને સૌરાષ્ટ્રમાં 2થી 3 સીટો પર NCP પોતાના ઉમેદવાર ઉભા રાખશે. જે સીટ પર NCPના ઉમેદવાર ઉભા રહેશે, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર ઉભા રાખવામાં નહીં આવે. બન્ને પક્ષ વચ્ચે ચૂંટણીને લઈને બેઠક થઈ હતી. પરંતુ હજુ એક વાર ફરીથી ચર્ચા થશે અને ટિકિટ ફાઇનલ કરવામાં આવશે. કુબેરનગર વોર્ડ NCPના કોર્પોરેટર અને નેતા નિકુલસિંહ તોમરે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં NCP અને કોંગ્રેસનું ગઠબંધન થશે. જોકે, NCP દ્વારા 12થી 15 બેઠકો પર ગુજરાતમાં ચૂંટણી લડવા માટે કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા થઈ છે, ત્યારે આગામી 2 દિવસમાં ગઠબંધન અને કેટલી સીટ પર NCP ચૂંટણી લડશે તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

Read the Next Article

હાર્દિક પટેલે મુખ્યમંત્રીને કહ્યું કામ નહી થાય તો ઉપવાસ આંદોલન પર બેસી જઇશ

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી

New Update
images

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી.

19

બસ બધુ એની રીતે ચાલ્યા કરે છે. નાગરિકો જે ભોગવતા હોય તે ભોગવ્યા કરે છે. જે લોકો મોજ કરે છે તે મોજ કર્યા કરે છે અને ભગવાન ભરોસે અઠેગઠે બધુ ચાલ્યા જ કરે છે. કોઇ કોઇને કાંઇ કહેતું નથી કોઇ કોઇનું કાંઇ પણ માનતું નથી. આવી સ્થિતિમાં કોઇને સમસ્યા થાય તો પોતાના સંતોષ ખાતર અરજી કરે છે. જો કે કંઇ પણ થતું નથી

વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલનો મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ચિંતા આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. શહેરમાં ઉભરાતી ગટરો, ગંદા પાણી અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. વર્ષોથી ઉભરાતી ગટના કારણે વિરમગામ શરમ અનુભવી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીને ધમકી આપતા લખ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો જનતાની સમસ્યા માટે થઇને તેણે સરકારની વિરુદ્ધ જ ઉપવાસનું આંદોલન કરવું પડશે.

હાર્દિક પટેલે કહ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો વિરમગામના લોકો સાથે મારે મજબૂતાઈથી ઉભા રહેવું પડશે. શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યા. અધિકારીઓ દાદાગીરી કરી રહ્યા છે. જો કામ ન થાય તો જરૂર પડે જનતા સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવુ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.