બનાસકાંઠા : જંગલ ખાતાના જમીન વિવાદ મામલે આદિવાસીઓના ધરણાં, કોંગેસના સાંસદ-ધારાસભ્યોનું સમાજને સમર્થન…

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલીયા ગામે તાજેતરમાં જંગલ ખાતાની જમીન વિવાદમાં આદિવાસી લોકો અને પોલીસ તેમજ વન વિભાગની ટીમ વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી

New Update
  • દાંતા તાલુકાના પાડલીયા ગામમાં સર્જાયો હતો વિવાદ

  • જંગલ ખાતાની જમીન વિવાદમાં બની હુમલાની ઘટના

  • આદિવાસી લોકો અને પોલીસ-વન વિભાગ વચ્ચે ઘર્ષણ

  • ઘટનામાં 45થી વધુ જવાનો35 આદિવાસીઓને ઇજા

  • દાંતા પ્રાંત કચેરી આદિવાસી સમાજ દ્વારા ધરણાં પ્રદર્શન

  • સાંસદધારાસભ્ય સહિત કોંગ્રેસ દ્વારા સમાજને સમર્થન 

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાનાં પાડલીયા ગામની ચકચારી હુમલાની ઘટના બાદ આદિવાસી સમાજ દ્વારા ધરણાં પ્રદર્શન યોજાયા હતા. જેઓના સમર્થનમાં સાંસદધારાસભ્ય સહિત કોંગ્રેસ આગેવાનો આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલીયા ગામે તાજેતરમાં જંગલ ખાતાની જમીન વિવાદમાં આદિવાસી લોકો અને પોલીસ તેમજ વન વિભાગની ટીમ વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી. આ ઘટનામાં હુમલાખોરોએ પથ્થર અને તીર કામઠાથી હુમલો કરતાં 45થી વધુ જવાનો ઘાયલ થયા હતાજ્યારે પોલીસના 50 રાઉન્ડ ફાયરિંગટિયર ગેસ અને લાઠીચાર્જ વખતે નાસભાગમાં 35 આદિવાસીઓ ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર બનાવના પગલે પંથકમાં અરાજકતા વ્યાપી ગઈ હતી.

તો બીજી તરફઆ ઘટનાને આજે 5 દિવસ વીતી ગયા હોવા છતાં તંત્રમાંથી કોઇપણ અધિકારી ઇજાગ્રસ્ત આદિવાસીઓના ખબર અંતર પુછવા આવ્યું નથી. જેના પગલે આદિવાસી સમાજ લાલઘૂમ થયો છે. ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતાં દાંતા પ્રાંત કચેરી ખાતે ન્યાય માટે આદિવાસી સમાજ દ્વારા ધરણાં પ્રદર્શન યોજાયા હતા. જેમાં સાંસદ ગેનીબેન ઠાકોરધારાસભ્યો જીજ્ઞેશ મેવાણીકાંતિ ખરાડી સહિત કોંગ્રેસના આગેવાનો પણ ધરણાં પ્રદર્શનમાં જોડાયા હતા. ધરણાં દરમ્યાન આદિવાસી સમાજને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Latest Stories