આસો'માં અષાઢી માહોલ : ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસ્યો વરસાદ, પાક નુકશાનની ભીતિથી ખેડૂતો ચિંતીત…

ગુજરાતમાં ફરી એકવાર માવઠાની સંભાવના ઉદભવી છે. રાજ્યમાં ઠંડીની શરુઆતના સમયમાં બંગાળની ખાડીમાં સાયક્લોનીકલ એર સરક્યુલેશ અને વેસ્ટર્ન ડીસ્ટબર્નની અસર થતાં વાતાવરણ પલટાયું છે.

New Update
આસો'માં અષાઢી માહોલ : ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસ્યો વરસાદ, પાક નુકશાનની ભીતિથી ખેડૂતો ચિંતીત…

ગુજરાતમાં ફરી એકવાર ઉદભવી છે માવઠાની સંભાવના

વેસ્ટર્ન ડીસ્ટબર્નની અસરથી વાતાવરણમાં આવ્યો પલટો

સૌરાષ્ટ્રથી દ. ગુજરાતના વિવિધ સ્થળે વરસ્યો વરસાદ

ગુજરાતમાં ફરી એકવાર માવઠાની સંભાવના ઉદભવી છે. રાજ્યમાં ઠંડીની શરુઆતના સમયમાં બંગાળની ખાડીમાં સાયક્લોનીકલ એર સરક્યુલેશ અને વેસ્ટર્ન ડીસ્ટબર્નની અસર થતાં વાતાવરણ પલટાયું છે.

ગુજરાતભરમાં ઠંડીની શરુઆતની મોસમમાં જ અચાનક પલટો આવ્યો છે. સમગ્ર રાજ્યમાં ગુરૂવારની સવારમાં વાદળછાયું વાતાવરણ છવાઇ ગયું હતું. જોકે, બપોર બાદ અને તેમાં પણ સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સાયક્લોનીકલ એર સરક્યુલેશ અને વેસ્ટર્ન ડીસ્ટબર્ન થતા તેની અસર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહી છે. જેના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આ ઉપરાંત આગામી 5 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે. જોકે, ચોમાસાની સત્તાવાર વિદાય સાથે શિયાળાની શરૂઆત થવા લાગી છે, ત્યારે ગુરૂવારના રોજ રાજ્યભરનું વાતાવરણ એકાએક પલટાયું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળે વરસાદી છાંટા પડ્યા હતા. જેમાં બાદ બપોરના સમયે ઉઘાડ નીકળ્યો હતો અને બાદમાં સાંજના સમયે પુન: વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. એટલું જ નહીં, સાથે સાથે તેજ ગતિએ પવન પણ ફુંકાવા લાગ્યો હતો. જોકે, અચાનક બદલાયેલાં વાતાવરણના પગલે ખેતીમાં નુકસાન જવાની ભીતિ સાથે ધરતીપુત્રો પણ ચિંતામાં મુકાયા છે.

Read the Next Article

જુનાગઢ : મુંબઈમાં થયેલ રૂ. 13 કરોડના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો, માણેકવાડાના પિતા-પુત્ર સહિત 3 શખ્સો ઝડપાયા

ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસે સંયુક્ત રાહે તપાસ કરતા જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામના આરોપી જીગ્નેશ કુછડીયા, નાથા કુછડીયા અને યશ ઓડેદરાની ચોરી થયેલા તમામ દાગીના સાથે ધરપકડ કરવામાં આવી

New Update
  • ગત તા. 20 જૂન-2025ના રોજ થઈ હતી સોનાની ચોરી

  • મુંબઈથી રૂ. 13.34 કરોડના દાગીનાની ચોરીનો મામલો

  • જુનાગઢ અને મહારાષ્ટ્ર પોલીસે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો

  • કેશોદના માણેકવાડા ગામના 3 શખ્સોની ધરપકડ કરાય

  • ત્રણેય શખ્સોને મુદ્દામાલ સાથે મહારાષ્ટ્ર પોલીસને સોંપાયા

ગત તા. 20 જૂન-2025ના રોજ મુંબઈથી આશરે રૂ. 13.34 કરોડની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. આ ગુનાનો ભેદ જુનાગઢ અને મહારાષ્ટ્ર પોલીસે સંયુક્ત કામગીરીથી ઉકેલી કાઢ્યો છે. આ કેસમાં કેશોદના માણેકવાડા ગામના પિતા-પુત્ર સહિત 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસારમુંબઈના MHB કોલોની વિસ્તારમાં આવેલ જે.પી. એક્સપોર્ટ ગોલ્ડ ડાયમંડ કંપનીમાંથી રૂ. 13 કરોડ 34 લાખ 62 હજાર 327 રૂપિયાની કિંમતના 13.455 કિલોગ્રામ સોનાના દાગીનાની ચોરી થઈ હતી. મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર પ્રકરણમાં જુનાગઢ તરફ પગેરું લંબાયું હતું. આ કેસમાં ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસે સંયુક્ત રાહે તપાસ કરતા જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામના આરોપી જીગ્નેશ કુછડીયાનાથા કુછડીયા અને યશ ઓડેદરાની ચોરી થયેલા તમામ દાગીના સાથે ધરપકડ કરવામાં આવી હતી.

રાજકોટના ફરિયાદીએ જણાવ્યું હતું કેતેમની કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરતા જીગ્નેશ કુછડીયાને સોનાના તૈયાર દાગીના અને લગડી લઈ મુંબઈની જે.પી. એક્સપોર્ટ કંપનીમાં મોકલ્યા હતા. પરંતુ મુખ્ય આરોપી અને સોનાના સેલ્સમેન જીગ્નેશ કુછડીયાએ રૂ. 13 કરોડ કરતાં પણ વધારે કિંમતના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. આટલી મોટી ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

મગ્ર મામલામાં તપાસ કરતા મુંબઈમાં થયેલી સોનાની ચોરીનું પગેરુ માણેકવાડા સુધી પહોંચ્યું હતુંજ્યાં પોલીસે પિતા-પુત્રની સાથે યશ ઓડેદરાની પણ અટકાયત કરી હતી. કોઈને શંકા ન જાય તે માટે જીગ્નેશ અને યશે તેના ઘરની પાછળના ભાગે આવેલા ઝાડ પર કોથળામાં સોનુ બાંધીને લટકાવી દીધું હતું. ત્યારબાદ વધેલું સોનુ જીગ્નેશ કુછડીયાએ તેના પિતા નાથા કુછડીયાને મોકલી આપી સમગ્ર સોનાની ચોરી પર પડદો પાડવાનું કારસ્તાન રચ્યું હતું. જોકેકેસ મહારાષ્ટ્રમાં નોંધાયો હોવાથી જુનાગઢ પોલીસની પકડમાં રહેલા ત્રણેય આરોપીને ટ્રાન્સફર વોરંટથી મુંબઈ પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.