વડોદરા: વિશ્વામિત્રી નજીક પ્રેમ પ્રકરણમાં ઘાતકી હુમલો, 19 વર્ષીય આશાસ્પદ યુવાનનું  મોત

ગુજરાત | Featured | સમાચાર, વડોદરાના વિશ્વામિત્રી નજીક આવેલ સુભાષનગરમાં રક્ષાબંધનના પવિત્ર દિવસે યુવાન પર તીક્ષણ હથિયારનો હુમલો કરાતા તેનું મોત નીપજ્યું હતું.

New Update
વડોદરાના વિશ્વામિત્રી નજીકનો બનાવ
સુભાષ નગરમાં થયો હુમલો
પ્રેમ પ્રકરણમાં હુમલો કરાયો
19 વર્ષીય યુવાનનું નિપજ્યુ મોત
પોલીસે તપાસ શરૂ કરી 
વડોદરાના વિશ્વામિત્રી નજીક આવેલ સુભાષનગરમાં રક્ષાબંધનના પવિત્ર દિવસે યુવાન પર તીક્ષણ હથિયારનો હુમલો કરાતા તેનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના વિશ્વામિત્રી નજીક આવેલા સુભાષનગરમાં રક્ષાબંધનના પવિત્ર અવસર પર યુવાન પર ઘાતકી હુમલો થતાં આશાસ્પદ યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું, સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અગાઉથી પ્રેમ પ્રકરણ હોવાના કારણે તેની અદાવતને લઈ ઈર્ષા રાખી પતિ તેમજ તેના દીકરા પર તીક્ષ્ણ હથિયાર સાથે ધસી આવેલા અસામાજિક તત્વો દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો જેમાં કેશવ મારવાડીનું કરુણ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ રાવપુરા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તજવીજ હાથ ધરી છે.તીક્ષ્ણ હથિયાર સાથે આવેલા લોકો દ્વારા હુમલો કરતા અનેક લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ બનાવવામાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે ત્રણ લોકો સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેઓ અપરાધી છે અને એક અપરાધી ફરાર છે આ ત્રણ આરોપી પર પોલીસ દેખરેખ રાખી રહી છે સારવાર થતાં તેમની ધરપકડ કરવામાં આવશે.
Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.