વડોદરા : દેશમાં પ્રથમ વખત પાલતુ શ્વાન પર વેરો વસુલવા મનપાના બજેટમાં સૂચન, જુઓ પછી શું થયું..!

વડોદરા પાલિકા દ્વારા પાલતું શ્વાન પર 3 વર્ષે 1 હજાર રૂપિયા વેરા પેટે લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને લઇને ભારે હોબાળો પણ થયો હતો.

New Update
વડોદરા : દેશમાં પ્રથમ વખત પાલતુ શ્વાન પર વેરો વસુલવા મનપાના બજેટમાં સૂચન, જુઓ પછી શું થયું..!

વડોદરા પાલિકા દ્વારા પાલતું શ્વાન પર 3 વર્ષે 1 હજાર રૂપિયા વેરા પેટે લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને લઇને ભારે હોબાળો પણ થયો હતો. દેશમાં પ્રથમ વખત પાલતુ શ્વાન પર વેરો (લાગત) લેવાનું સૂચન વડોદરા પાલિકાના બજેટ અંતર્ગત કરવામાં આવ્યું હતું. આખરે વડોદરા પાલિકા દ્વારા શ્વાન વેરો રદ્દ કરી દેવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત મેયર કેયુર રોકડિયા દ્વારા પાલિકાની સભામાં કરવામાં આવી હતી.વડોદરા : દેશમાં પ્રથમ વખત પાલતુ શ્વાન પર વેરો વસુલવા મનપાના બજેટમાં સૂચન, જુઓ પછી શું થયું..!

ગુજરાતમાં પહેલીવાર વડોદરા મનપા દ્વારા શ્વાન પર વેરો નવો ઉમેરાયો હતો. બજેટમાં વેરા વધારાની સાથે વધુ એક ટેક્સનો મારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. સ્થાયી સમિતિ મુજબ દર 3 વર્ષે રૂ. 1000નો વેરો લેવાનું આયોજન હતું. જોકે, વેરાની ગણતરી ક્યારથી થશે તેની સ્પષ્ટતા ન હતી. પાલતુ શ્વાન પેટે વર્ષે કરોડની રકમ વસુલવાની તૈયારી છે. તેવામાં વેરા વસુલાતની ચર્ચા સામે શહેરમાં કેટલા પાલતુ શ્વાન છે, તેની માહિતી મનપા પાસે નથી. જોકે, વેરાની જાહેરાત સામે આવતા જ પાલતુ શ્વાન માલિકો સહિતનાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જે વિરોધ આજે ફળ્યો હોય તેવું સામે આવ્યું છે. પાલિકા દ્વારા શ્વાન વેરો રદ્દ કરી દેવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત વડોદરાના મેયર કેયુર રોકડિયા દ્વારા પાલિકાની સભામાં કરવામાં આવી હતી. તો બીજી તરફ, આ જાહેરાતને સત્તાપક્ષ અને વિપક્ષ બન્નેએ આવકારી હતી.

Read the Next Article

અમદાવાદ દુર્ઘટનામાં ભરૂચના 3 મુસાફરો પ્લેનમાં સવાર હતા, કલેકટર ગૌરાંગ મકવાણાએ કરી પુષ્ટી

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે

New Update
  • અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના

  • લંડન જઈ રહ્યું હતું વિમાન

  • ભરૂચના 3 મુસાફરો પણ હતા સવાર

  • વહીવટી તંત્રએ કરી પુષ્ટી

  • જંબુસર- ભરૂચના 3 લોકોનો સમાવેશ

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે
અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી.અમદાવાદથી બપોરે 1. 38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા.ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં જિલ્લાના 5 લોકો હોવાની પુષ્ટિ આપી હતી. આ તરફ ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાએ ટેલિફોનિક વાતચીતમાં ભરૂચના 3 મુસાફરો હોવાની અને બે મુસાફરો સાંસરોદના હોવાની પુષ્ટિ કરી છે. ભરૂચનું તંત્ર આ મુસાફરોના પરિવારોનો સંપર્ક કરી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના 5 મુસાફરોના બહાર આવેલા નામોમાં જંબુસરના પટેલ સાહિલ , ભરૂચના પટેલ અલ્તાફ હુસેન, સાંસરોદના તાજુ હુસેના , તાજુ આદમ અને ભરૂચના સાજેદા મીસ્તર કાવીવાલાનો સમાવેશ થાય છે.પ્લેનમાં સવાર પૈકી પટેલ અલ્તાફહુસેન તેમના સાસુ તાજુ હુસેના અને સસરા તાજુ આદમ સાથે લંડન જઈ રહ્યા હતા. યુકે સ્થાયી થયેલ પરિવારના ત્રણ લોકો ઈદ મનાવી પરત જઈ રહ્યા હતા તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાય હતી.