Connect Gujarat
ગુજરાત

વડોદરા : વારસિયા મુખ્ય માર્ગ પર પડ્યો હતો મસમોટો ભુવો, આખરે રામધૂન ગવાતા સમારકામ હાથ ધરાયું

વારસિયા પોલીસ સ્ટેશન મુખ્ય માર્ગ પર પડ્યો ભુવો સામાજિક આગેવાનોએ ભુવા નજીક જ બેસી કરી પૂજા રામધૂન ગવાતા જ નગરસેવકે સ્થળે કરાવ્યુ સમારકામ

X

વડોદરા શહેરમાં ટૂંક સમયમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પધારવાના છે. પરંતુ વારસિયા પોલીસ સ્ટેશન જવાના મુખ્ય માર્ગ પણ સાંઈબાબા સોસાયટી નજીક છેલ્લા 11 દિવસથી ભુવો પડ્યો છે. જેના કારણે અહીં આવતા જતાં વાહનચાલકો સહિત રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે,

ત્યારે આ રોડ પરના ભુવાના સમારકામની કામગીરી શરૂ નહીં કરાતા સામાજીક કાર્યકર કમલેશ પરમાર સહિતના શહેરીજનોએએ ફુલહાર, શ્રી ફળ, ચુંદડી, કંકુ સાથે રાખી ખુરશી અને ભુવાની પુજા કરી ભુવા પાસે જ બેસીને રામધૂન બોલાવી હતી, ત્યારે આ મામલાની જાણ થતાં જ સ્થાનિક કોર્પોરેટર દ્વારા કામગીરી તાત્કાલિક શરૂ કરાવવામાં આવી હતી.


Next Story