વડોદરા : લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા ઉણી ઉતરી, સ્થાનિકોએ સ્વખર્ચે બોર કરાવ્યો...

વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો શહેરીજનોને નિયમિત પાણી પુરવઠો પૂરો પાડતી હોવાની ગુલબાંગો પોકારે છે

New Update
વડોદરા : લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા ઉણી ઉતરી, સ્થાનિકોએ સ્વખર્ચે બોર કરાવ્યો...

વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો શહેરીજનોને નિયમિત પાણી પુરવઠો પૂરો પાડતી હોવાની ગુલબાંગો પોકારે છે. પરંતુ સોસાયટીઓમાં રહેતા લોકોને હજારો રૂપિયાના ખર્ચે બોર બનાવવાની ફરજ પડી રહી છે. સાથે જ વેરાનું વળતર પણ નથી મળતું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહી નદી આજવા સરોવર નર્મદાની મુખ્ય કેનાલમાંથી શહેરીજનોને નિયમિત પાણી પુરવઠો પૂરો પાડવાની ગુલબાંગો પોકારવામાં આવે છે. પરંતુ લોકોને દૂષિત, ગંદુ અને ડહોળું પાણી મળતું હોવાની બુમો ઉઠી છે. આટલું ઓછું હોય તેમ શહેરની પેરી વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં તો રહીશોને નાછૂટકે હજારો રૂપિયાના ખર્ચે બોર બનાવવાની ફરજ પડી છે. એટલું જ નહીં, સ્થાનિકોને ખારું પાણી વાપરવું પડે છે, ત્યારે પાલિકાના સત્તાધીશો પોતાની પ્રાથમિક ફરજ પૂરી પાડવામાં પણ ઉણા ઉતર્યા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા.

Read the Next Article

પંચમહાલ : પાનમ ડેમમાં પાણીની આવક થતા 1275 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા કિનારાના ગામોને કરાયા એલર્ટ

પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ પાનમ ડેમમાં પાણીની આવક વધતા ડેમ વિભાગ દ્વારા 1275 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.જેના કારણે પાનમ નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

New Update
  • પંચમહાલમાં વરસાદી માહોલ જામ્યો 

  • પાનમ ડેમમાં પાણીની આવકમાં વધારો

  • ડેમનો એક ગેટ સંપૂર્ણ ખોલવામાં આવ્યો

  • પાનમ નદીમાં 1275 ક્યુસેક પાણી છોડાયું

  • નદી કિનારના દસ ઉપરાંત ગામો એલર્ટ

પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ પાનમ ડેમમાં પાણીની આવક વધતા ડેમ વિભાગ દ્વારા 1275 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.જેના કારણે પાનમ નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

પંચમહાલ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઇ છે.તેમજ ઉપરવાસમાંથી પણ પાનમ ડેમમાંથી પાણી છોડાયું છે. પાનમ વિભાગ દ્વારા આ પાણી છોડવામાં આવ્યું છે. પાનમ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડાયું છે. પાનમ ડેમનો એક ગેટ આખો ખોલી 1275 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે.અને રૂલ લેવલ જાળવી રાખવા માટે પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.ત્યારે હાલમાં પાનમ ડેમમાં 3850 ક્યુસેક પાણી છે. ડેમમાંથી પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.જ્યારે બીજ તરફ પાનમ નદીના જળસ્તરમાં વધારો થતા નદી કિનારે વસેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Latest Stories