વલસાડ : વાપીના ડુંગરા ગામે પાલિકાની પાણીની ટાંકીમાં બાળક પડી જતાં મોતને ભેટ્યો, પોલીસે તપાસ હાથ ધરી...

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા ગામ ખાતે નગરપાલિકાની પાણીની ટાંકીમાં એક બાળક પડી જતા દોડધામ મચી જવા પામી હતી. બનાવના પગલે ફાયર બ્રિગેડ દ્વારા બાળક

New Update
vladad dead

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા ગામ ખાતે નગરપાલિકાની પાણીની ટાંકીમાં એક બાળક પડી જતા દોડધામ મચી જવા પામી હતી. બનાવના પગલે ફાયર બ્રિગેડ દ્વારા બાળકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતોજ્યાં હોસ્પિટલમાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.

મળતી માહિતી અનુસારવલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા ગામ નજીક આવેલ આઝાદ નગર વિસ્તારમાં વાપી નગરપાલિકાની મોટી પાણીની ટાંકી આવી છે. જે ટાંકીનું ઢાંકણ ખુલ્લું રહી ગયું હતુંજ્યાં બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન આ વિસ્તારનું એક બાળક ખુલ્લી ઢાંકણવાળી ટાંકીમાં પડી ગયું હતું. સમગ્ર મામલે સ્થાનિકોને જાણ થતા તેઓએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતીઅને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. સતત 2 કલાક ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ બાળકને બહાર કાઢવામાં આવ્યો હતોજ્યાંથી તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતોજ્યાં ફરજ પરના હજાર તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતોત્યારે હાલ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેનગરપાલિકાની બેદરકારીને લઈને માસુમ બાળકનો ભોગ લેવાયો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.

Read the Next Article

હાર્દિક પટેલે મુખ્યમંત્રીને કહ્યું કામ નહી થાય તો ઉપવાસ આંદોલન પર બેસી જઇશ

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી

New Update
images

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી.

19

બસ બધુ એની રીતે ચાલ્યા કરે છે. નાગરિકો જે ભોગવતા હોય તે ભોગવ્યા કરે છે. જે લોકો મોજ કરે છે તે મોજ કર્યા કરે છે અને ભગવાન ભરોસે અઠેગઠે બધુ ચાલ્યા જ કરે છે. કોઇ કોઇને કાંઇ કહેતું નથી કોઇ કોઇનું કાંઇ પણ માનતું નથી. આવી સ્થિતિમાં કોઇને સમસ્યા થાય તો પોતાના સંતોષ ખાતર અરજી કરે છે. જો કે કંઇ પણ થતું નથી

વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલનો મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ચિંતા આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. શહેરમાં ઉભરાતી ગટરો, ગંદા પાણી અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. વર્ષોથી ઉભરાતી ગટના કારણે વિરમગામ શરમ અનુભવી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીને ધમકી આપતા લખ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો જનતાની સમસ્યા માટે થઇને તેણે સરકારની વિરુદ્ધ જ ઉપવાસનું આંદોલન કરવું પડશે.

હાર્દિક પટેલે કહ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો વિરમગામના લોકો સાથે મારે મજબૂતાઈથી ઉભા રહેવું પડશે. શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યા. અધિકારીઓ દાદાગીરી કરી રહ્યા છે. જો કામ ન થાય તો જરૂર પડે જનતા સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવુ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.