વલસાડ : ધરમપુર ખાતે પોલીસ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિર યોજાશે, દક્ષીણ ગુજરાત રેન્જ IGની અધ્યક્ષતામાં બેઠક યોજાય

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આગામી તા. 11, 12 અને 13 ઓગષ્ટ દરમ્યાન પોલીસ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
1

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પોલીસ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છેત્યારે પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓએ શરૂ કરી દેવામાં આવી છે.

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આગામી તા. 1112 અને 13 ઓગષ્ટ દરમ્યાન પોલીસ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ચિંતન શિબિરમાં રાજ્યના તમામ IPS અધિકારી સહીત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છેત્યારે વલસાડ એસપી કચેરી ખાતે દક્ષીણ ગુજરાતના રેન્જ IGની અધ્યક્ષતામાં IPS મીટનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસ વિભાગની ચિંતન શિબિર દરમ્યાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિશેષ ઉપસ્થિત રહેવાના છે, ત્યારે દક્ષીણ ગુજરાતના રેન્જ IGએ આયોજિત ચિંતન શિબિરને લઈને તમામ તૈયારીઓ સહિત અધિકારીઓને જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપ્યું હતું. 

આ પ્રસંગે વલસાડ સહિત 5 જિલ્લાના એસપીડીવાયએસપી તેમજ મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat | Valsad | ChintanShibir 

Latest Stories