વલસાડ: સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકની ઉઠાંતરી, પોલીસે ગણતરીની કલાકોમાં મહિલાને બાળક સાથે ઝડપી પાડી

New Update
વલસાડ: સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકની ઉઠાંતરી, પોલીસે ગણતરીની કલાકોમાં મહિલાને બાળક સાથે ઝડપી પાડી

વલસાડમાં સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે ગાયનેક વોર્ડમાંથી એક મહિલાનું નવજાત બાળક અજાણી મહિલા ચોરી ગઈ હોવાની ઘટના સામે આવી હતી. બાળકની માતાને જાણ થતાં સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલના અધિકારીઓને ઘટનાની જાણ કરી પોલીસની ટીમે વલસાડ જિલ્લામાં નાકાબંધી કરીને નવજાત બાળકને ચોરી કરી ગયેલી મહિલાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા નવજાત બાળકને ચોરી કરનારી મહિલા સિવિલ હોસ્પિટલમાં જ અડિંગો જમાવી બેઠી હતી. મહિલાને બાળક મળતા ત્યાંથી મહિલા સામાન મૂકીને ફરાર થઇ ગઈ હતી. જોકે, સિવિલ હોસ્પિટલના CCTV ફૂટેજના આધારે વલસાડ પોલીસે ગણતરીના કલાકોમાં મહિલાને બાળક સાથે ઝડપી પાડી છે. વલસાડ ST ડેપો ઉપરથી સુરત તરફ જતી બસમાંથી મહિલાને ઝડપી પાડી છે. વલસાડ LCB એ આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ LCBની ટીમ મહિલાની પ્રાથમિક પૂછપરછ કરી રહી છે. બાળકને તેના પરિવારને સોંપવામાં આવ્યું છે.

Read the Next Article

કચ્છમાં ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરાઈ

વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે...

New Update
  • ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ

  • 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ

  • ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી હેરિટેજ સાઇટ જાહેર

  • દરિયા કિનારે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળ્યા

  • પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન પણ બન્યું

Advertisment

કચ્છ જિલ્લાના લખપત વિસ્તારમાં આવેલઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી’ સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરવામાં આવી છે. વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે.

કચ્છ જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ગુનેરી ગામનો 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ છે. કચ્છની સૂકી ધરતી પર જ્યાં રણની રેતી પથરાયેલી હોયત્યાં લીલાછમ મેન્ગ્રોવના વૃક્ષોનું આ જંગલ ખરેખર એક અજાયબી છે. આ અનોખી વિશેષતા અને પર્યાવરણીય મહત્વને કારણે આ સાઇટને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાતની પ્રથમ'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટતરીકે જાહેર કરવામાં આવી છે.

આ વિસ્તારમાં'એવિસેનીયા મરીનાનામની મેન્ગ્રોવ પ્રજાતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ મેન્ગ્રોવ માત્ર વૃક્ષો નથીપરંતુ 20 પ્રવાસી અને 25 સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન છે. જેમાં ફ્લેમિંગોહેરિયર જેવા દુર્લભ જળ પક્ષીઓનો સમાવેશ થાય છે. મેન્ગ્રુવ કાર્બન ડાયોક્સાઇડ શોષીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે અને ચક્રવાત-સુનામી જેવી આફતો વખતે કુદરતી દીવાલનું કામ કરે છે.