વલસાડ : વાપી પ્રોવિડન્ટ ફંડની ઓફિસમાં ACBનો સપાટો

ગુજરાત | Featured | સમાચાર,વલસાડ જિલ્લાના વાપી ખાતેની પ્રોવિડન્ટ ફંડની એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ટ્રેપ ગોઠવી હતી

New Update
વાપીની PF ઓફિસમાં ACBનો સપાટો
બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
કલાસ 1 અને ક્લાસ 2 અધિકારી લાંચ લેતા ઝડપાયા 
રૂપિયા 5 લાખ ની લાંચ લેતા ACBએ દબોચી લીધા 
બિલ્ડરના કેસની પતાવટ માટે માંગી હતી લાંચ 
વલસાડ જિલ્લાના વાપી ખાતેની પ્રોવિડન્ટ ફંડની એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ટ્રેપ ગોઠવી હતી,જાણવા મળ્યા મુજબ બિલ્ડરની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના PFના ચાલતા કેસની પતાવટ અને ઝડપી નિકાલ કરવા માટે ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારી દ્વારા લાંચ માંગવામાં આવી હતી.
જોકે PF અધિકારીઓની કનડગત થી હેરાન પરેશાન બિલ્ડર દ્વારા આ અંગે ACBનો સંપર્ક કરીને ફરિયાદ કરવામાં આવી હતી,તેથી ACB દ્વારા વાપી PF ઓફિસમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું.જેમાં રૂપિયા 5 લાખની લાંચની રકમ સ્વીકારવા જતા ક્લાસ 1 અધિકારી આસિસ્ટન્ટ PF કમિશનર હર્ષદ પરમાર અને ક્લાસ 2  એન્ફોર્સમેન્ટ અધિકારી સુપ્રભાત રંજન લાંચ લેતા ACBના હાથે ઝડપાઈ ગયા હતા.ભ્રષ્ટાચારથી ખદબદતી PF ઓફિસમાં ACBના સપાટાથી  લાંચિયા સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.અને PF ઓફિસમાં સન્નાટો છવાઈ ગયો હતો.વધુમાં ACBના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ લાંચિયા PF અધિકારીઓના મિલકત સંબંધિત તેમજ બેંક એકાઉન્ટ સહિતની તપાસ માટેના ACB દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.    
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.