વલસાડ : કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ-2023 અંતર્ગત બાળરાજાઓને શાળામાં પ્રવેશ અપાયો

New Update
વલસાડ : કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ-2023 અંતર્ગત બાળરાજાઓને શાળામાં પ્રવેશ અપાયો

સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૨મી જૂનથી શરૂ થયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૩ અંતર્ગત વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકામાં ખડકી, ગુંદીયા અને સાદડવેરા પ્રાથમિક શાળામાં ગાંધીનગર સચિવાલયમાં સરકારના શિક્ષણ વિભાગના જોઈન્ટ સેક્રેટરી જે.પી.દેવંગન(આઈ.એ.એસ)ની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.

વલસાડ જિલ્લામાં તા.૧૨ અને ૧૩ મી જૂનના રોજ સમગ્ર વલસાડના ૬ તાલુકામાં ૯૫૭ પ્રાથમિક શાળાઓ માટે ૯૩ કલસ્ટર મુજબ ૯૩ સંભવિત રૂટ પર કન્યા કેળવણી મહોત્સવમાં પ્રવેશપાત્ર ૧૯૧૨૦ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવની ઉજવણીની શરૂઆત કરાઈ છે. નવી શિક્ષણનિતી મુજબ ૫ થી ૬ વર્ષના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપાશે. જે પૈકી ધરમપુર તાલુકાની ખડકી, ગુંદીયા અને સાદડવેરી પ્રાથમિક શાળામાં આંગણવાડી/બાલવાટિકામાં ૫૧ અને પહેલા ધોરણમાં ૨૧ બાળકો મળી કુલ ૭૨ બાળકોનો શાળા પ્રવેશોત્સવ ઊજવાયો હતો. શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ધરમપુરના અંતરિયાળ વિસ્તારની ખડકી પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં પ્રવેશપાત્ર એકમાત્ર બાળકીનું કુમકુમ પગલા પાડી પ્રવેશ કારાવાયો હતો, જ્યારે ધોરણ-૧માં ૧૩ કુમાર અને ૦૭ કન્યા મળી કુલ ૨૦ બાળકો, ગુંદીયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ૨૮ અને ધોરણ-૧ માં ૦૧, સાદડવેરા પ્રાથમિક શાળામાં આંગણવાડી અને બાલવાટિકામાં ૧૨ કુમાર અને ૧૦ કન્યા મળી કુલ ૨૨ બાળકોને પ્રવેશ આપાયો હતો. તેમજ ગુંદીયા પ્રાથમિક શાળામાં બાળકોને શાળાએ લાવવા લઈ જવા માટેના ટ્રાંસાપોર્ટેશન વાહનને જે.પી.દેવંગને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જોઈન્ટ સેક્રેટરી જે.પી.દેવંગને કહ્યું હતું કે, આ નવા ભવિષ્ય માટે ખુબ જ સુંદર પ્રસંગ છે જેમાં સહભાગી થવાનો મોકો વારંવાર મળતો નથી. આ પ્રવેશ મેળવતા બાળકો ખુબ જ ભણે, સારુ ભણે અને સતત ભણે એવી શુભેચ્છા છે. એમને ભણતરમાં પડતી તકલીફો દૂર કરવાના તમામ પ્રયત્નો સરકાર કરે છે. સાથે સાથે બાળકોને ભણતરની દરેક જરૂરિયાતો પણ પુરી થાય એની કાળજી રાખે. પ્રાથમિક શાળામાં ભણતરથી બાળકોનો પાયો મજબૂત થાય છે. પ્રવેશ મેળવાતા દરેક બાળકોને ખુબ ખુબ અભિનંદન અને શાળાના શિક્ષકો અને વાલીઓને પણ અભિનંદન પાઠવું છું. આ કાર્યક્રમોમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કૌશર કાશલી, હનમતમાળ RBSKની ટીમ, દરેક શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપ્સ્થિત રહ્યા હતા.

Read the Next Article

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસ્યું, આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

New Update
chikhali

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

હવે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તાજા અપડેટ પ્રમાણે, 3 જુલાઇ 2025 થી 8 જુલાઇ 2025 સુધીનો સમયગાળો ખુબ જ ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે. 

અત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી એટલે કે 3 જુલાઈથી 8 જુલાઈ સુધીની વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં આ સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે રેડ એલર્ટ અપાયું નથી. આજે રાજ્યના 13 જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ ઉપરાંત અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતનો સમાવેશ થાય છે. જ્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આવતીકાલે એટલે કે 4થી જુલાઇએ દીવ, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી છે. ઉપરાંત ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ માટે યલો એલર્ટ અપાયું છે. બાકીનાં તમામ જિલ્લાઓમાં વરસાદ નહીવત્ત રહેશે.

5 જુલાઇ 2025 ના દિવસે અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ તો અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બાકીનાં જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત્ત રહેશે