વલસાડ: આસારામના ફોટાની પૂજા-આરતી કરવા બદલ 33 શિક્ષકોને નોટિસ, શિક્ષણ આલમમાં ખળભળાટ

કપરાડા તાલુકાની ત્રણ સરકારી શાળાઓમાં ગત વેલેન્ટાઈન ડેના દિવસે આશારામના ફોટો સાથે માતૃપિતૃ દિવસની ઉજવણી કરાતા ભારે વિવાદ છેડાયો હતો.

New Update
વલસાડ: આસારામના ફોટાની પૂજા-આરતી કરવા બદલ 33 શિક્ષકોને નોટિસ, શિક્ષણ આલમમાં ખળભળાટ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની ત્રણ સરકારી શાળાઓમાં ગત વેલેન્ટાઈન ડેના દિવસે આશારામના ફોટો સાથે માતૃપિતૃ દિવસની ઉજવણી કરાતા ભારે વિવાદ છેડાયો હતો.

વલસાડ જિલ્લામાં 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે આસારામના સાધકો દર વર્ષે માતૃ પિતૃ વંદના કાર્યક્રમ કરે છે. આસારામ અને તેનો પુત્ર નારણસાઈ જેલમાં હોય ત્યારે કપરાડાની એક શાળામાં અભ્યાસ કરાવતો શિક્ષક આસારામ બાપુનો ભક્ત હોય તેના દ્વારા 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે માતૃ પિતૃ વંદના દિવસની ઉજવણીના ભાગરૂપે આસારામનો ફોટો મૂકી તેમજ વિદ્યાર્થીઓના વાલી માતા પિતાને શાળામાં હાજર રહેવા ફરમાન કર્યું હતું. જેથી આચાર્યએ કરેલા હુકમને માન આપી શાળામાં વિદ્યાર્થીઓના વાલીઓ માતૃ પિતૃ પૂજન કાર્યક્રમમાં આસારામનો ફોટો મૂકી આરાધના આરતીઓ કરાઈ હતી. આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ બાબતે ગત ફેબ્રુઆરી મહિનામાં રિપોર્ટ કર્યો હતો. આમામલે વિડીયો અને ફોટો વાયરલ થતા દસ મહિના બાદ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ 33 જેટલા શિક્ષકોને નોટિસ ફટકારી ખુલાસો માંગતા જિલ્લાના શિક્ષકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Read the Next Article

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 IAS અધિકારીઓની કરાઇ બદલી

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

New Update
રાજયમાં આઇએએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.  

આ બદલીઓમાં પ્રથમ નામ  અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 

જ્યારે  એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની કમિશનર ઓમ પ્રકાશની રાજકોટ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.  

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની બદલી કરાઈ છે.  એમ. થેન્નારસન નવા શહેરી વિકાસ સચિવ બન્યા છે.  રમેશ મીણા પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ બન્યા છે.  મીલિંદ તોરવણે પંચાયત સચિવ તરીકે નિમાયા છે.  આરતી કંવરને નાણા વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો છે.  તેજસ પરમાર જૂનાગઢના મ્યુ. કમિશનર બન્યા છે.  

રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની બદલી કરવામાં આવી છે. પ્રભવ જોશી ટુરિઝમમાં એમડી બન્યા છે.  ઓમ પ્રકાશ રાજકોટના નવા કલેક્ટર બન્યા છે.  નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક કરવામાં આવી છે. 

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ  તોરવાણે, IAS ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે.