Connect Gujarat
ગુજરાત

આસ્થાની જીત : અંતે લીલી પરિક્રમાને 400-400ના જૂથમાં પરિક્રમા કરી શકશેની શરતી મંજૂરી

ગીરનારની લીલી પરિક્રમા બંધ રાખવામા આવી હતી. તેમ છતા આજે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચી જતા હોબાળો મચ્યો હતો. તંત્ર દ્વારા પહેલા ફક્ત સાધુ-સંતો માટે પ્રતિકાત્મક પરિક્રમાને જ મંજૂરી આપવામા આવી હતી

X

ગીરનારની લીલી પરિક્રમા બંધ રાખવામા આવી હતી. તેમ છતા આજે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચી જતા હોબાળો મચ્યો હતો. તંત્ર દ્વારા પહેલા ફક્ત સાધુ-સંતો માટે પ્રતિકાત્મક પરિક્રમાને જ મંજૂરી આપવામા આવી હતી. પરંતુ, શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાનમાં રાખી અંતે સામાન્ય લોકોને પણ 400-400ના જૂથમાં પરિક્રમા કરવા માટેની મંજૂરી આપવામા આવી

જૂનાગઢમાં ગરવા ગીરનારના સાંનિઘ્‍યે વર્ષોથી યોજાતી લીલી પરિક્રમા ચાલુ વર્ષે કોરોનાની ગાઇડલાઇન મુજબ માત્ર 400 જેટલા સાઘુ-સંતો માટે સમિતિ પ્રતિકાત્‍મક રીતે કરવાની તંત્રએ છુટ આપી હતી. જેને લઇ શ્રઘ્‍ઘાળુઓમાં ભારોભાર રોષ પ્રર્વતેલ હતો. આજે મઘ્‍યરાત્રીથી લીલી પરીક્રમા શરૂ થાય તે પૂર્વે જ આજે સવારથી ગીરનાર તળેટી વિસ્‍તારમાં પરીક્રમાના રૂટ પર પ્રવેશવાના ઇટવા ગેઇટ પાસે દૂર દૂરથી આવી રહેલ શ્રઘ્‍ઘાળુઓ મોટી સંખ્યામાં એકત્ર થઇ રહ્યા હતા. પરિક્રમાર્થીઓ સતત હોબાળો મચાવ્યો હતો અને શ્રદ્ધાળુ કોઈપણ કાળે પરિક્રમા કરવા અડગ જોવા મળ્યા હતા. અંતે તંત્ર લોકોની લાગણીને ધ્યાન પર રાખી 400-400 લોકોના જૂથમાં પરિક્રમા કરવા માટે મંજૂરી આપી છે.

Next Story