/connect-gujarat/media/media_files/2025/02/16/ODXl3BnIkSqX8bVIIFZz.jpg)
ગુજરાતમાં આજે 16 ફેબ્રુઆરીએ 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગર પાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી. આ તમામ જગ્યાએ સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકા મતદાન થયું છે. હવે આગામી 18 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે, સાત વર્ષ બાદ મતદારોને મતદાનનો મોકો મળ્યો હતો. મોટાભાગની પાલિકામાં 2018માં મતદાન થયું હતું. દોઢ-બે વર્ષથી ચાલતા વહીવટદાર શાસનનો હવે અંત આવશે.
કુલ 68 નગરપાલિકામાં અંદાજે 62 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં જૂનાગઢ મનપામાં અંદાજે 43 ટકા જેટલું મતદાન થયું છે. કુલ 3 તાલુકા પંચાયતમાં પણ અંદાજે 66 ટકા આસપાસ મતદાન થયું છે. જોકે આ મતદાનમાં શહેર કરતાં ગ્રામ્ય મતદારોમાં ઉત્સાહ વધારો દેખાયો હતો. મનપા અને પાલિકા કરતાં તાલુકા પંચાયતમાં વધુ મતદાન થયું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન દરમિયાન ઈવીએમ મશીનમાં ક્ષતિ ફરિયાદો ઉઠવા પામી હતી,જોકે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા રાજ્યના ચૂંટણી પંચે રાહતનો શ્વાસ લીધો હતો.