વલસાડ : પારડીમાં ઉનાળાની શરૂઆતથી જ પાર નદીમાં પાણીનો પુરવઠો ઘટતા જળ સંકટના એંધાણ

વલસાડના પારડી શહેર પર જળ સંકટના એંધાણ વર્તાય રહ્યા છે.શહેરને પાણી પૂરી પાડતી પાર નદીમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો જથ્થો ઓછો થઈ જતા જળ સંકટ ઉભું થયું છે.

New Update
  • પારડી શહેર પર તોળાઈ રહ્યું છે જળ સંકટ

  • પાર નદીમાં ગરમીમાં ઘટ્યા પાણીના સ્તર

  • રોટેશન મુજબ પાણીના મળતા સર્જાઈ સમસ્યા

  • નહેરમાં રિપેરિંગની કામગીરીને લઈને પણ મુશ્કેલી

  • સિંચાઈ વિભાગ દ્વારા સમસ્યાના ઉકેલ માટે કરાયા પ્રયત્નો 

Advertisment

રોટેશન મુજબ જો પાણી નહીં મળે તો પીવાના પાણીની મુશ્કેલી પણ સર્જાઈ શકવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકામાં પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે.

પાર નદીના તટ વિસ્તાર પર બનાવેલા નગરપાલિકાના ડેમમાં પાણીનો જથ્થો નોંધપાત્ર રીતે ઘટ્યો છે. ઉનાળાની તીવ્ર ગરમીને કારણે નદીના પાણીના સ્તરમાં ઘટાડો થયો છે.સિંચાઈ વિભાગ દ્વારા નહેરમાં રિપેરિંગ કામગીરી ચાલી રહી છે.

આ કારણે રોટેશન દ્વારા પાણી આપવાની પ્રક્રિયામાં પણ વિલંબ થયો છે. ઉનાળાની શરૂઆતમાં જ તીવ્ર ગરમી પડવાના કારણે નદીમાં તળિયા ઝાટક દેખાવા લાગ્યા છે.નદીમાં પાણીનો જથ્થો ખૂબ ઓછો થઈ રહ્યો હોય જેને લઇને આગામી દિવસોમાં માત્ર સાત દિવસ ચાલે એટલું જ પાણી નદીમાં બચ્યું છે,જેને કારણે પારડી શહેર પર જળ સંકટ તોળાઈ રહ્યું છે.

સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિમાંશુ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે સિંચાઈ વિભાગ દ્વારા નહેરમાં રીપેરીંગની કામગીરી અત્યારે ચાલી રહી છે.જેને કારણે રોટેશનનું પાણી આપવામાં વિલંબ થઈ રહ્યો છે,પરંતુ જે પ્રમાણે પાણીની સ્થિતિ સર્જાઇ રહી છે

જેને જોતા આગામી 24 કલાકમાં પાણી પહોંચાડી દેવામાં આવશે અને હાલ પણ 15 દિવસ સુધી ચાલે એટલો પાણીનો જથ્થો સંગ્રહ કરી લેવા આવશે અને  નહેર વિભાગ દ્વારા આ પાણી શહેરમાં પહોંચાડવામાં આવશે.અને શહેરના રહીશોને મર્યાદિત પાણી પુરવઠો મળી રહેશે તેવી સિંચાઇ વિભાગે વહેલી તકે પરિસ્થિતિ સુધારવાની ખાતરી આપી છે.

 

Advertisment
Read the Next Article

પોલીસ પુત્રની કરપીણ હત્યા..! : ભાવનગરમાં સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસ પુત્રને 2 શખ્સોએ રહેંસી નાંખ્યો...

હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા

New Update
  • શહેરમાં ધોળે દિવસે બની હત્યાની ચકચારી ઘટના

  • 2 શખ્સે કરી મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યા

  • સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો પોલીસ પુત્ર

  • બનાવના પગલે પોલીસ અધિકારીઓ દોડી આવ્યા

  • દીકરાના મૃતદેહ નજીક માતાનું હૈયાફાટ રુદન 

Advertisment

ભાવનગર શહેરમાં ધોળે દિવસે મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર 2 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પોલીસ પુત્રની કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી મુજબભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા રેખાબેન આહીરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહીર પોતાના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો. આ દરમિયાન 2 શખ્સો કેવલને છરીના આડેધડ ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાજ્યાં તેમના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની ફેલાય હતી. બનાવને લઇને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે CCTVના આધારે ફરાર થઇ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisment