ગીર સોમનાથ : માણેકપુરમાં પાણીની સમસ્યા,મહિલા સરપંચે બાળકોને પાણી પુરવઠા કચેરીમાં સ્નાન કરાવી ધરણા પર બેઠા

ઉનાના માણેકપુર ગામે 15 દિવસથી પાણી નહીં આવતા ગામના મહિલા સરપંચ પતિ અને બે બાળકો સહિતનો પરિવાર ઉના પાણી પુરવઠા કચેરી ખાતે દોડી આવી કરી રજૂઆત..

New Update
  • માણેકપુરમાં પાણીની ગંભીર સમસ્યા

  • મહિલા સરપંચ દ્વારા કરાઈ રજૂઆત

  • પાણી પુરવઠા કચેરીમાં કરી રજૂઆત

  • પાણી પુરવઠા કચેરીમાં બાળકોને કરાવ્યું સ્નાન

  • મહિલા સરપંચે કપડા પણ ધોયા

  • કચેરીમાં જ મહિલા સરપંચના ધરણા  

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના માણેકપુર ગામે પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે,જેના કારણે મહિલા સરપંચ સહિતનો પરિવાર પાણી પુરવઠા વિભાગની કચેરીએ દોડી આવ્યો હતો,અને કચેરીમાં જ બાળકોને સ્નાન કરાવ્યું હતું,અને કપડા ધોઈને ધારણા પર બેઠા હતા.

ઉનાના માણેકપુર ગામે 15 દિવસથી પાણી નહીં આવતા ગામના મહિલા સરપંચ પતિ અને બે બાળકો સહિતનો પરિવાર ઉના પાણી પુરવઠા કચેરી ખાતે દોડી આવ્યો હતો,અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામમાં નિયમિત પણે પાણી આપવામાં આવે તેવી માંગ કરી હતી.

ઉના તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં છેવાડે માણેકપુર ગામ આવેલું છે.આ ગામની કુલ વસ્તી 5500 થી 6000 જેટલી છે.આ ગામમાં છેલ્લા 15 થી 20 દિવસથી પાણી આવતું ન હોય અને સરપંચ પતિ લાખા રાઠોડ દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારી વિશાલ ભાટાને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં આ ગામમાં પાણીની સમસ્યાનું નિરાકરણ થયુ નહોતું.

આ માણેકપુર ગામમાં પાણીના બે જેટલા સંપ આવેલા છે,પરંતુ અહીંયા સુધી પાણી નહીં પહોંચતા બંને પાણીના સંપ પણ ખાલી છે અને લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. તેમજ પાણી નહીં આવતા મહિલા સરપંચ સહિતનાઓએ પાંચ દિવસથી સ્નાન પણ કર્યું ન હોવાથી સરપંચના બંને પુત્રોને પાણી પુરવઠા વિભાગની કચેરી ખાતે લઇ આવી સ્નાન કરાવ્યું હતું,અને કપડા પણ ધોયા હતા.આ માણેકપુર ગામમાં પીવાનું પાણી અને પશુઓ માટે પણ પાણી નહીં મળતા દૂર દૂર સુધી પાણી ભરવા માટે ભટકવું પડે છે.ત્યારે મહિલા સરપંચ તેમના પતિ સાથે પાણી પુરવઠાની કચેરીમાં જ ધારણા પર બેસીને ગામમાં નિયમિત પાણી મળે તે માટે માંગ કરી રહ્યા છે.

Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના

New Update

તા. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં સહભાગી થયા

16 કિમીના રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાય

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.