ભરૂચ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોગ અને સંગીત દિવસની ઉજવણી, વેદ અને રાગની અપાઈ થેરાપી

જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ માં વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉજવણી અંતર્ગત બાળકોને વેદ ઉપચારણથી મ્યુઝિક થેરાપી આપવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિની ઉત્તમ ભેટ એટલે યોગ...

New Update



ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉજવણી
અંતર્ગત બાળકોનેવેદઉપચારણથી મ્યુઝિકથેરાપી આપવામાંઆવી હતી.ભારતીય સંસ્કૃતિની ઉત્તમ ભેટ એટલે યોગ... તો સાથે જભારતીય શાસ્ત્રીયસંગીતનુંપણ એટલું જ મહત્વ રહેલું છે. આજે વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસનો સમન્વય છેજેને અનુલક્ષી છેલ્લા 25 વર્ષથી મ્યુઝિક થેરાપી આપતા અને મ્યુઝિક થેરાપી થકી દિલ્હીની AIMS હોસ્પીટલમાં કોમા પેશન્ટને મ્યુઝિક થેરાપીથી સાજા કરનાર ડો. સૂચિતારક્ષિતવિશેષ ઉપસ્થિત રહ્યા હતા.વેદ થેરાપીમાં આચાર્ય આશિષ પાંડે,આચાર્ય અજય શુક્લા અને આચાર્ય મયુરકુમાર રાવલે વેદની ઋચાઓનું ઉચ્ચારણ કરી વિદ્યાર્થીઓને આધ્યાત્મિક જ્ઞાન તેમજ એકાગ્રતા કેળવાય તેની સમજ આપી હતી.

ડો. સૂચિતારક્ષિતએસિતારસારંગીવાંસળીતબલાહાર્મોનિયમ જેવાશાસ્ત્રીયવાજિંત્રો અને મંત્ર ઉચ્ચારણો દ્વારા વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવ્યું હતું. આ થેરાપી થકી મનુષ્યમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ડો.સૂચિતારક્ષિતએઆ થેરાપીની મદદથી કોમામાં સરી પડેલ દર્દીઓની પણ સારવાર કરી છે. તેઓ પીએચ.ડી કરી રહેલ વિદ્યાર્થીઓને તાલીમ આપવા સાથે હૈદરાબાદમાં હોલીસ્ટીક કેરમાં પણ વડા તરીકે ફરજ બજાવે છે.ડો. સૂચિતારક્ષિતએ અત્યારસુધી અનેક મેન્ટલી ડિપ્રેશનમાં ગયેલા કેટલાક લોકોને પણ સાજા કર્યા છે.

આ મ્યુઝિક થેરાપીના કાર્યક્રમમાં બાળકોને મ્યુઝિક થેરાપી અપાયા બાદ તેમના શરીર ઉપર અને તેમના લોહીના પ્રવાહમાં તેમજ ઑક્સીજન લેવલમાં શું બદલાવ આવ્યોતદુપરાંત તેમની માનસિક પુલકિતતામાં શું ફેર દેખાયોએની નોંધ લેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કેરાગા થેરાપી બાદ બાળકો વધુ પડતાં પુલકિત અને ખુશ નજરે પડ્યા હતા.

રાગા થેરાપી થકી બાળકોના શરીરમાં સાતેય ચક્ર કેવી રીતે ઉજાગર કરવામાં આવે તે પણ વિસ્તાર પૂર્વક સંગીતના માધ્યમથી વિધિવત રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ રાગા થેરાપીનો શાળાના તમામ વિદ્યાર્થીઓશિક્ષકો અને વાલીઓને તા. 2122 અને 23 જૂન 2024’ દરમ્યાન લાભ મળી રહે તે માટેજય અંબે ઇન્ટરનેશનલ શાળાના મેનેજમેન્ટદ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

રાગા થેરાપીના પ્રારંભ પૂર્વે આજરોજ તા. 21 જૂન 2024ના બ્રહ્મમુહૂર્તમાં શાળાના આચાર્ય ડો. મેઘના ટંડેલ સહિત સમગ્ર સ્ટાફ અને ડો. સૂચિતારક્ષિતની ટીમના તમામ થેરાપીસ્ટ દ્વારા શાળા પટાંગણમાં વિધિ વિધાન સાથે હવન કરવામાં આવ્યું હતું. રાગ થેરાપીના હેતુ સમજાવતા કાર્યક્રમના સંયોજકનરેશ છાબરાએ વિસ્તૃત માહિતી આપી હતી.

જોકેજય અંબેશાળા પરિવાર માટે ગર્વની વાત એ હતી કેઆ સમગ્ર થેરાપીની ટીમમાં શાળાની ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થિની ઇશ્વરી શાહ પણ સહભાગી થઈ હતી. વિદ્યાર્થિની ઇશ્વરી શાહે સુંદર સિતાર વાદન સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌકોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.

Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.