અંકલેશ્વર: સામોર ગામે આયુષ્ય આરોગ્ય મેળો અને આંખ રોગ નિદાન કેમ્પનું કરાયુ આયોજન

જયાબેન મોદી મલ્ટીસ્પેશયલીટી હોસ્પિટલ અને એશિયન પેઇન્ટ્સના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો

New Update

અંકલેશ્વરના સામોર ગામે કરવામાં આવ્યું આયોજન

આંખ રોગ નિદાન કેમ્પ યોજાયો

આયુષ્યમાન આરોગ્ય મેળાનું પણ આયોજન

નિષ્ણાત તબીબોએ આપી સેવા

લાભાર્થીઓએ કેમ્પનો લીધો લાભ

અંકલેશ્વર તાલુકાના સમોર ગ્રામ પંચાયત ખાતે જયાબેન મોદી મલ્ટીસ્પેશયલીટી હોસ્પિટલ અને એશિયન પેઇન્ટ્સ કંપની  દ્વારા આંખ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો..
અંકલેશ્વર તાલુકાના સમોર ગ્રામ પંચાયત ખાતે જયાબેન મોદી મલ્ટીસ્પેશયલીટી હોસ્પિટલ અને એશિયન પેઇન્ટ્સના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો..
જયારે દર્દીઓને ચશ્માં પણ આપવામાં આવ્યા હતા.કેમ્પમાં એશિયન પેઈન્ટ્સના મેનેજર,સિનિયર મેનેજર તેમજ ગામના સરપંચ કિરણ વસાવા  અને તલાટી જયેશ વસાવાના સહીત જયાબેન મોડી હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.આ સાથે જ આયુષ્યમાન આરોગ્ય શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો 200થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો..
Read the Next Article

કેરળમાં ફરી નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ મળી આવ્યા

કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.

New Update
nipa virus

કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.

આ ઘાતક વાઈરસે આરોગ્ય અધિકારીઓને હાઈ એલર્ટમાં મુકી દીધા છે. આ વાઈરસ જીવલેણ છે, કારણ કે તેની કોઈ ખાસ દવા કે વેક્સીન પણ ઉપલબ્ધ નથી. 

નિપાહ વાઈરસ (NiV)એક ઝૂનોટિક વાઈરસ છે, એટલે કે, પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. આ વાઈરસ મુખ્યત્વે ચામાચીડિયા (Pteropus Medius), જેને ફ્લાઈંગ ફોક્સ પણ કહેવામાં આવે છે. આ ડુક્કર દ્વારા માણસોમાં ફેલાય છે.

આ પહેલીવાર 1998માં મલેશિયામાં જોવા મળ્યો હતો. ત્યારે બાંગ્લાદેશ, ભારત અને સિંગાપુરમાં તેનો પ્રકોપ જોવા મળ્યો હતો. કેરળમાં 2018થી અત્યાર સુધી સાત વખત નિપાહ વાઈરસનો પ્રકોપ જોવા મળ્યો છે. જેમાં 2018,2019,2021,2023 અને 2024-25 નો સમાવેશ થાય છે. 

નિપાહ વાઈરસનો મૃત્યુદર ખૂબ જ ઊંચો છે, જે 40% થી 75% સુધીનો હોઈ શકે છે. આ વાયરસમાં માનવ-માનવ ટ્રાન્સમિશન દ્વારા ફેલાવાની ક્ષમતા પણ છે, જે તેને વધુ ખતરનાક બનાવે છે. WHO એ આ રોગચાળાની સંભાવના ધરાવતા પ્રાથમિકતાવાળા રોગકારક જીવાણુઓમાં સામેલ કર્યો છે.

જુલાઈ 2025માં કેરળમના મુલપ્પુરમ જિલ્લામાં એક 18 વર્ષીય કિશોરનું નિપાહ વાઈરસના કારણે મૃત્યુ થયું હતું. આ સાથે 46 નવા કેસ સામે આવ્યા છે, જેમાં મોટાભાગના મલપ્પુરમ, કોઝિકોડ અને પલક્કડ઼ જિલ્લામાં છે. આરોગ્ય અધિકારીઓએ  425 લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. 

આ વાઈરસ ચામાચિડીયા અથવા ડુક્કરના મળ, મુત્ર અથવા લાળથી દુષિત થયેલા ભોજન ખાવાથી થાય છે. સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી જેવા કે, લાળ, લોહી અને ખુલ્લામાં છીંક ખાવાથી આ રોગ ફેલાય છે.

વાઈરસ શરીરમાં પ્રવેશ કરતાં 4 થી 14 દિવસ પછી લક્ષણો જોવા મળે છે. 

શરુઆતના લક્ષણો

તાવ આવવો, માથુ દુખવું, સ્નાયુઓમાં દુખાવો, ગળામાં ખારાશ, ઉલ્ટી અને થાક.

ગંભીર લક્ષણ

શ્વાસ લેવામાં તકલીફ પડવી, ચક્કર આવવા, દિશા ભૂલી જવી, એટેક, કોમા અને એન્સેફાલીટીસ (મગજનો સોજો).

Kerala | health