ચૂકંદર કરશે તમારા પેટને અંદર... આ શાકભાજીના જ્યુસ વજન ઘટાડવામાં કરશે મદદ, આજે જ પીવાનું ચાલુ કરી દો....

બીટ ફાયબરથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી કલાકો સુધી પેટ ભરેલું રહે છે. જેના કારણે કમર અને પેટની ચરબી સૌથી ઝડપથી ઘટવા લાગે છે.

New Update
ચૂકંદર કરશે તમારા પેટને અંદર... આ શાકભાજીના જ્યુસ વજન ઘટાડવામાં કરશે મદદ, આજે જ પીવાનું ચાલુ કરી દો....

વધેલા વજનને ઓછું કરવું પડકાર સમાન છે. કારણ કે આ કામ કરવા માટે રાત દિવસ એક કરીને મહેનત કરવી પડે છે. ફક્ત ડાયટિંગ કરવાથી કે એકસરસાઈઝ કરવાથી વજન ઘટતું નથી. તેના માટે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને જો તમારો આહાર યોગ્ય નહીં હોય તો કેટલી પણ મહેનત કરશો તમારું વજન નહીં ઘટે. જો વજન ઘટાડવું હોય તો દૈનિક આહારમાં નિયમિત કેટલાક જ્યુસનું સેવન કરવાથી ફાયદો થાય છે. આજે તમને એવા શાકભાજી વિષે જણાવીશું જેનું સેવન કરવાથી વજન ઝડપથી ઘટી જશે.

બીટનો રસ:-

· વજન ઘટાડવાની વાત આવે તો બીટનો રસ સૌથી અસરકારક માનવામાં આવે છે. બીટ ફાયબરથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી કલાકો સુધી પેટ ભરેલું રહે છે. જેના કારણે કમર અને પેટની ચરબી સૌથી ઝડપથી ઘટવા લાગે છે.

ગાજરનો રસ:-

· વજન ઘટાડવા માટે તમે ગાજરનો જ્યુસ પી શકો છો. આમ તો ગાજર શિયાળામાં મળતી વસ્તુ છે. પરંતુ હવે બારેમાસ તે સરળતાથી મળી રહે છે. ગાજર ફાયબરથી ભરપૂર હોય છે. દિવસની શરૂઆત તમે ગાજરનો જ્યુસ પી ને કરી શકો છો. આનાથી તમને કલાકો સુધી ભૂખ નહીં લાગે અને તમારા શરીરમાં એનર્જી પણ રહેશે. જેના કારણે વજન ઝડપથી ઉતારવા લાગશે.

કારેલાનો રસ:-

· કારેલા એક એવું શાક છે જેને ખાવાથી શરીરને અનેક પ્રકારના ફાયદાઓ થાય છે. પણ તકલીફ એ હોય છે કે કારેલાના કડવા સ્વાદના લીધે મોટા ભાગના લોકો તેને ખાવાનું ટાળે છે. પરંતુ સ્વાસ્થ્યના સિધ્ધાંતો જણાવે છે કે કારેલાનો જ્યુસ પીવાથી મેટાબોલીઝમ બુસ્ટ થાય છે અને શરીર સ્વસ્થ પણ રહે છે. કારેલાથી થતાં ફાયદા મેળવવા માટે જરૂરી નથી કે તમે એક ગ્લાસ કારેલાનું જ્યુસ પીવો રોજ બે ચમચી કરેલાનો રસ પીવાથી પણ શરીરને અનેકગણો ફાયદો થાય છે.    

Read the Next Article

લીવરમાં સોજો આવે ત્યારે કયા લક્ષણો ચોક્કસપણે જોવા મળે છે ? જાણી લો

લીવરમાં સોજો આવે છે તેને તબીબી ભાષામાં હેપેટાઇટિસ કહેવામાં આવે છે. તે એક એવી સ્થિતિ છે જેમાં લીવરના પેશીઓમાં બળતરા થાય છે. તે સમગ્ર પાચનતંત્ર, ઉર્જા સ્તર અને શરીરના ડિટોક્સ સિસ્ટમને અસર કરે છે.

New Update
liver

લીવરમાં સોજો આવે છે તેને તબીબી ભાષામાં હેપેટાઇટિસ કહેવામાં આવે છે. તે એક એવી સ્થિતિ છે જેમાં લીવરના પેશીઓમાં બળતરા થાય છે. તે સમગ્ર પાચનતંત્ર, ઉર્જા સ્તર અને શરીરના ડિટોક્સ સિસ્ટમને અસર કરે છે.

લીવરમાં સોજો આવવાના ઘણા કારણો હોઈ શકે છે. આમાં હેપેટાઇટિસ A, B અને C જેવા વાયરલ ચેપ, વધુ પડતો દારૂનું સેવન, સ્થૂળતા, ફેટી લીવર, ખોટી દવાઓનું સેવન અને ઓટોઇમ્યુન રોગોનો સમાવેશ થાય છે.

લીવરમાં સોજો આવે ત્યારે ઘણા લક્ષણો જોવા મળે છે. આને અવગણવા જોઈએ નહીં. ચાલો જાણીએ.

ડૉ. સુભાષ ગિરી સમજાવે છે કે જ્યારે લીવર યોગ્ય રીતે કામ કરતું નથી, ત્યારે શરીરમાં ઊર્જાનો અભાવ રહે છે. આવી સ્થિતિમાં, દર્દી હંમેશા થાક અનુભવે છે.

લીવરમાં સોજો પાચન પ્રક્રિયાને અસર કરે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિને ભૂખ લાગતી નથી અને ખોરાક જોતાં જ ઉલટી થવા લાગે છે. ક્યારેક પેટ પણ ભારે લાગે છે.

લીવર ફૂલી જાય છે ત્યારે શરીરમાં બિલીરૂબિન નામનો પદાર્થ વધે છે, જેના કારણે આંખોનો સફેદ ભાગ અને ત્વચા પીળી દેખાય છે. આ કમળાની નિશાની હોઈ શકે છે.

લીવર શરીરના ઉપરના જમણા ભાગમાં સ્થિત છે. જ્યારે સોજો આવે છે, ત્યારે ત્યાં થોડો દુખાવો, ભારેપણું અથવા દબાણ અનુભવાય છે, ખાસ કરીને બેસતી વખતે કે ચાલતી વખતે. (નોંધ : અહીં અપવાં આવેલી માહિતી ફક્ત આપણી જાણકરી માટે છે.)