કોરોના વાઇરસનો વેરિએન્ટ બદલાતા શું વેક્સિન પણ બદલાઈ? જાણો યેલ યુનિવર્સિટીનું રિસર્ચ શું કહે છે

આ દર વર્ષે નવું રૂપ લઈને આવે છે. ક્યારેક ડેલ્ટા, ક્યારેક ઓમિક્રોન અને હવે NB.1.8.1 અને LF.7 જેવા નવા વેરિએન્ટ. અનેક લોકો નવા વાઈરસથી બચવા માટે વેક્સિનના બૂસ્ટર ડોઝને લઈને ચર્ચા કરી રહ્યા છે.

New Update
coviddd

કોવિડ-19 શરૂ થયાના પાંચ વર્ષ થઈ ચુક્યા છે પરંતુ વાઈરસ હજુ ખતમ નથી થયો.

આ દર વર્ષે નવું રૂપ લઈને આવે છે. ક્યારેક ડેલ્ટા, ક્યારેક ઓમિક્રોન અને હવે NB.1.8.1 અને LF.7 જેવા નવા વેરિએન્ટ. અનેક લોકો નવા વાઈરસથી બચવા માટે વેક્સિનના બૂસ્ટર ડોઝને લઈને ચર્ચા કરી રહ્યા છે. એવામાં એક મોટો સવાલ ઊભો થાય છે કે, શું કોવિડ વેક્સિન પણ બદલાઈ છે? જો હા, તો કેટલી બદલાઈ છે? અમેરિકાની યેલ યુનિવર્સિટીની એક રિસર્ચે આ સવાલનો જવાબ આપ્યો છે. 

હકીકતમાં, કોરોના ફરી દુનિયાને ડરાવી રહ્યો છે, દર્દીઓની સંખ્યા વધી રહી છે. હોસ્પિટલ પર પણ દબાણ વધી રહ્યું છે. હોંગકોંગ અને સિંગાપુરથી શરૂ થયેલો આ વાઈરસ ભારત-અમેરિકા સહિત  અન્ય અનેક દેશોમાં ન ફક્ત વધી રહ્યો છે, પરંતુ તેનાથી મોત થવાના કેસ પણ સામે આવી રહ્યા છે. નવા વેરિએન્ટ NB.1.8.1 અને LF.7ની એન્ટ્રીએ દુનિયાને ચોંકાવી દીધી છે. WHOએ NB.1.8 અને LF.7ને હાલ 'Variants Under Monitoring'ની કેટેગરીમાં રાખ્યા છે. ભારતમાં પણ અત્યારે સૌથી વધુ પ્રચલિત વેરિએન્ટ JN.1 છે, જે તમામ ટેસ્ટ કરવામાં આવેલા સેમ્પલમાં 53 ટકા વધુ છે. ત્યારબાદ BA.2 (26%) અને અન્ય ઓમિક્રૉન સબ વેરિએન્ટ (20%) છે.

Yale Universityની રિસર્ચ અનુસાર, સારી વાત એ છે કે, 2022થી દર વર્ષે અપડેટ કરવામાં આવતી રસી હજુ પણ કોવિડની ગંભીર બીમારી, હોસ્પિટલમાં ભરતી થવા અને મૃત્યુને રોકવા માટે પ્રભાવી માનવામાં આવી રહી છે. CDC (Centers for Disease Control and Prevention) અનુસાર, નવજાત અને બાળકોમાં (છ મહિના અને તેનાથી વધુ ઉંમર) અને વયસ્કને રસી લગાવવામાં આવી શકે છે. જોકે, SARS-CoV-2 વાઈરસમાં પરિવર્તન આવી રહ્યું છે અને નવા-નવા વેરિએન્ટ સામે આવી રહ્યા છે, તેથી એ જાણવું જરૂરી છે કે, અપડેટેડ રસીકરણ કેટલું સારૂ પ્રદર્શન કરે છે.

શું નવી રસી જૂના વેરિએન્ટ પર પણ અસર કરે છે?

જી હા, રસી સંપૂર્ણપણે સંક્રમણને રોકી નથી શકતું. પરંતુ, ગંભીર લક્ષણો અને લાંબા કોવિડના જોખમને અનેક હદ સુધી ઓછું કરે છે. રસીકરણ બાદ જો સંક્રમણ થાય પણ છે તો તેના લક્ષણ હળવા હોય છે અને રિકવરી તેજ થઈ જાય છે. 

શું આ રસીની આડઅસર થઈ શકે છે?

હા, રસીના આડઅસર થઈ શકે પરંતુ, તે સમાન્ય અને અસ્થાયી હોય છે. જો કોઈ આડઅસર થાય તો તે ટૂંક સમયમાં ઠીક થઈ જશે. 

યેસ યુનિવર્સિટીની ભલામણ:

65 વર્ષથી વધુની વ્યક્તિ અથવા ગંભીર બીમારીથી પીડિત વ્યક્તિએ અપડેટેડ વેક્સિન લેવી. બૂસ્ટર ડોઝ જરૂરી છે કારણ કે, સમય સાથે એન્ટીબૉડીઝ કમજોર થઈ જાય છે. રસીકરણ બાદ પણ સંક્રમણ થઈ શકે છે પરંતુ, તે ગંભીર રૂપ નથી લેતું.