શું તમે પણ સુંદર અને યુવાન દેખાવા માંગો છો? તો પીવો આ ફ્રૂટ જ્યુસ, થશે અનેક લાભ.....

આજે આપણે વાત કરવા જઇ રહ્યા છીએ એક એવા ફ્રૂટની જે તમારી યુવાની જાણવી રાખવામા મદદ કરશે...

New Update
શું તમે પણ સુંદર અને યુવાન દેખાવા માંગો છો? તો પીવો આ ફ્રૂટ જ્યુસ, થશે અનેક લાભ.....

આજે આપણે વાત કરવા જઇ રહ્યા છીએ એક એવા ફ્રૂટની જે તમારી યુવાની જાણવી રાખવામા મદદ કરશે અને સાથે સાથે તમે સુંદર પણ દેખશો, તો એ ફ્રૂટનું નામ છે નોની ફ્રૂટ.

યુવાન અને સુંદર દેખાવાની સૌ કોઇની ઈચ્છા હોય છે. આજની વ્યસ્ત જીવનશૈલી અને આહારના કારણે અકાળે વૃધ્ધત્વના લક્ષણો જોવા મળે છે. આવી સ્થિતિમાં કેટલાક કુદરતી ઉપાયો આ સમસ્યામાંથી તમને છુટકારો અપાવશે. નોની એક સુપરફ્રૂટ છે જેનું નિયમિત સેવન કરવાથી ત્વચાને સુધરે છે અને શરીરને અંદરથી યુવાન રાખવામા મદદ કરે છે. નોની જ્યુસના બીજા પણ ઘણા બધા ફાયદાઓ છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે, તો ચાલો જાણીએ નોની ફ્રૂટના ફાયદાઓ....

· નોનીનો રસ તેના ઉર્જા વધારાના ગુણધર્મને લીધે જાણીતો છે. તેમાં રહેલા અનેક વિટામીન્સ અને મિનરલ્સ શક્તિ પૂરી પડે છે, અને દૂર કરવામાં મદદ કરે છે. નોની જ્યુસ એનર્જી લેવલ વધારે છે અને થાકને દૂર કરે છે. જો તમને વધુ પડતો થાક લાગતો હોય તો નોનીનું જ્યુસ પીવાનું શરૂ કરી દેવું જોઈએ.

· જો તમે યુવાન અને સુંદર દેખાવા માંગતા હોય તો નોનીનો રસ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નોનીમાં એવા ઘણા તત્વો આવેલા છે જે ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવવામાં મદદ કરે છે. આ સિવાય તે એંટીએજિંગ માટે પણ કામ કરે છે. નોનીનો રસ નિયમિતપણે પીવાથી કરચલીઓ ઓછી થાય છે અને ત્વચા પર નિખાર આવે છે. તે વાળ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

· નોની ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તેમાં રહેલા એંટીઓક્સિડેંટ્સ બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે. રોજ નોનીનું જ્યુસ પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

· નોનીમાં એવા ઘણા કુદરતી ગુણ પણ આવેલા છે. જે સાંધાના સોજને ઘટાડવામાં મદદ કરે છે. તેથી જ નોની જ્યુસ સંધિવા જેવા રોગો માટે ફાયદાકારક માનવામાં આવે છે.   

Read the Next Article

Covid-19: દર 6-9 મહિનામાં વધે છે કોરોનાનું સંક્રમણ', વિશેષજ્ઞોએ તમામ લોકોને આપી જરૂરી સલાહ

રાજસ્થાનમાં 20 વર્ષીય યુવકનું કોરોનાથી મૃત્યુ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેને મલ્ટીપલ ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ, ફેફસાંની સમસ્યાની સાથે કોરોનાનું સંક્રમણ પણ થયું હતું

New Update
covidd

ભારત અને અમેરિકા સહિત ઘણા દેશોમાં તાજેતરના દિવસોમાં કોરોનાવાયરસના સંક્રમણના કેસોમાં ઝડપથી વધારો જોવા મળ્યા. પરંતુ ભારતમાં હાલમાં સંક્રમણના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 15 જૂનના રોજ જ્યાં કુલ એક્ટિવ કેસ 7400 હતા, તે 21 જૂન (શનિવાર) ના રોજ ઘટીને લગભગ 5012 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 1197 લોકો સંક્રમણમાંથી સાજા થયા છે અથવા હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા છે.

જોકે, રાજસ્થાનમાં 20 વર્ષીય યુવકનું કોરોનાથી મૃત્યુ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેને મલ્ટીપલ ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ, ફેફસાંની સમસ્યાની સાથે કોરોનાનું સંક્રમણ પણ થયું હતું, જેના કારણે તેની સ્થિતિ ગંભીર બનતી ગઈ અને તેનું મૃત્યુ થયું.

છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં સક્રિય કેસોમાં ભલે ઘટાડો થયો હોય, જોકે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે કોરોનાને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ. વાયરસ હંમેશા આપણી આસપાસ રહે છે અને નવા મ્યુટેશન અથવા લોકોની નબળી પ્રતિરક્ષાને કારણે વારંવાર સક્રિય થઈ જાય છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને, તમામ લોકોએ સતત સાવચેતી રાખવાની જરૂર છે. આપણે કોરોના સાથે જીવતા શીખી લેવું પડશે.

ભારતમાં કોરોનાના કેસની વાત કરીએ તો અહીં બે વેરિએન્ટ નિંબસ  (Nimbus) અને ટ્રાટસ (Stratus) સૌથી વધુ અસરકારક જોવા મળી રહ્યા છે. એનબી.1.8.1ના અનૌપચારિક રૂપથી 'નિબંસ' ઉપનામ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ એક્સએફજીને સ્ટ્રાટસ કહેવામાં આવે છે. 

તાજેતરમાં એક રિપોર્ટમાં આઇસીએમઆર-એનઆઇવી પુણેના નિર્દેશક ડો. નવીન કુમારે જણાવ્યું હતું કે XFG અને NB.1.8.1 ની સાથે JN.1 અને LF.7 વેરિઅન્ટ પણ અહીં સક્રિય જોવા મળ્યા છે. અત્યાર સુધી આ વેરિઅન્ટ્સને વધુ ગંભીર ગણવામાં આવ્યા નથી, જોકે દરેક મ્યુટેશન સાથે તેનો સંક્રમણ દર ચોક્કસપણે વધતો જાય છે, જેને લઈને સાવચેતી રાખવી જરૂરી છે.

Latest Stories