Connect Gujarat
આરોગ્ય 

ગુલકંદથી માંડી Rosehip Tea સુધી, જાણો સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે ગુલાબનું ફૂલ....

ગુલાબના ફૂલનો આયુર્વેદમાં ઘણી બીમારીઓની સારવાર માટે ઉપયોગ થાય છે. ગુલાબમાં વિટામિન ઈ, સી અને એ હોય છે

ગુલકંદથી માંડી Rosehip Tea સુધી, જાણો સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે ગુલાબનું ફૂલ....
X

ગુલાબના ફૂલનો આયુર્વેદમાં ઘણી બીમારીઓની સારવાર માટે ઉપયોગ થાય છે. ગુલાબમાં વિટામિન ઈ, સી અને એ હોય છે, જે સ્કિન માટે ઘણા પ્રકારનું કામ કરી શકે છે. આ સિવાય ગુલાબના ફૂલમાં ઘણા ફાઇટોન્યૂટ્રિએન્ટ્સ પણ હોય છે, જે બોડીમાં સેલ્સને હેલ્ધી રાખવામાં મદદ કરે છે અને તમામ પ્રકારના મ્યૂટેશનને રોકવામાં મદદ કરે છે. પરંતુ માત્ર આ કારણ નથી કે તમે ગુલાબના ફૂલનો ઉપયોગ કરો. આવો જાણીએ ગુલાબના ફૂલના ફાયદા.

1. એંગ્ઝાયટી ઘટાડે છે Rosehip Tea

રોઝહિપ ટી માટે ગુલાબના ફૂલની સાથે તેના પાછલા ભાગનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક કપ ગુલાબની ચા ચિંતાને શાંત કરવા અને તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે. તે હકીકતમાં મગજને ઠંડુ અને શાંત કરે છે, જેનાથી એંન્ઝાયટીની સમસ્યા થતી નથી.

2. પેટ માટે હેલ્ધી છે ગુલકંદ

ગુલકંદ, ગુલાબના પાંદડામાંથી તૈયાર કરવામાં આવે છે અને એન્ટીબેક્ટીરિયલ હોવાની સાથે લેક્સટેસિવની જેમ કામ કરે છે. તે પાચનતંત્રને મજબૂત કરે છે અને પાચન ગતિવિધિઓમાં તેજી લાવે છે, જેનાથી ભોજન પચે છે.

3. એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે ગુલાબનું તેલ

જો તમને માથાનો દુખાવો અથવા પગમાં દુખાવો થતો હોય તો ગુલાબનું તેલ લગાવવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે બળતરા વિરોધી ગુણોથી ભરપૂર છે અને પીડા ઘટાડવામાં મદદરૂપ છે. આ ઉપરાંત, તે ચેતાઓની જડતા ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. તેથી, જો તમને આ બધી સમસ્યાઓ છે, તો રાત્રે સૂતા પહેલા આ તેલ લગાવો.

4. ગુલાબ ખાવાથી ઈમ્યુનિટી બૂસ્ટ થાય છે

ગુલાબના પાંદડા ખાવાથી ઇમ્યુનિટી વધે છે. તે વિટામિન સીથી ભરપૂર છે જે આયરનના અવશોષણમાં મદદ કરે છે. આ સિવાય તે એન્ટીમાઇક્રોબિયલ ગુણોથી ભરપૂર છે જે તમને ઘણી બીમારીમાં બચાવવામાં મદદ કરી શકે છે.

5. ગુલકંદના દૂધથી આવશે સારી ઊંઘ

જો તમારો મૂડ સ્વિંગ્સ થાય છે કે પછી નીંદર આવતી નથી તો ગુલકંદવાળુ દૂધ તમને ફાયદો કરાવી શકે છે. તે શરીરમાં ઓક્ટીડેટિવ સ્ટ્રેસને ઘટાડે છે અને હાર્મોનલ હેલ્થને વધારે છે. આ તમામ કારણોથી તમારે તમારી લાઇફસ્ટાઇલમાં ગુલાબના ફૂલને સામેલ કરવું જોઈએ.

Next Story