શું તમારા શરીરમાં હિમોગ્લોબિનની કમી છે? તો આ ખાવાનું શરૂ કરી દો, શરીર માટે વરદાનરૂપ છે આ ફૂડ....

શિયાળાની શરૂઆત થઈ ગઇ છે. આ સાથે જ આપણે ઋતુ પ્રમાણે આપણા ખોરાકમાં પણ ફેરફાર કરવો આવશ્યક છે.

New Update
શું તમારા શરીરમાં હિમોગ્લોબિનની કમી છે? તો આ ખાવાનું શરૂ કરી દો, શરીર માટે વરદાનરૂપ છે આ ફૂડ....

શિયાળાની શરૂઆત થઈ ગઇ છે. આ સાથે જ આપણે ઋતુ પ્રમાણે આપણા ખોરાકમાં પણ ફેરફાર કરવો આવશ્યક છે. શિયાળામાં આપણને ગરમ વસ્તુઓની જરૂર હોય છે. આ ઋતુમાં નવા જ ફળ અને શાકભાજી આવે છે. શિયાળાની સિઝન માટે એક શ્રેષ્ઠ ફૂડ છે ખજૂર, જેના એક નહીં પરંતુ અનેક ફાયદાઓ છે. ખજૂરની તાસીર ગરમ હોય છે જેથી જ તેને ઠંડીની ઋતુમાં ખાવામાં આવે છે. દરરોજ ખજૂરનું સેવન કરવાથી શરીરમાં થતી અનેક સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. તો ચાલો જાણીએ ખજૂર ખાવાના ફાયદાઓ....

હાડકાઓ માટે ફાયદાકારક છે ખજૂર

ખજૂર કેલ્સિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફૉસ્ફરસથી ભરપૂર છે. તેથી જ તે હાડકાઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના સેવનથી હાડકાઓ મજબૂત બને છે.

રેડ બ્લડ સેલના ગ્રોથ માટે ફાયદાકારક

કાળી ખજૂર ડ્રાઈ ટી ફાઇબરનો શ્રેષ્ઠ સોર્સ માનવામાં આવે છે. તેના સેવનથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. પેટમાં ગેસ, અપચો, ખરાબ પાચન, અને ઘણી અન્ય સમસ્યાઓ દૂર કરવામાં કારગત માનવામાં આવે છે. આ સિવાય આમાં આયર્ન પણ હોય છે. તેના સેવનથી રેડ બ્લડ સેલ્સમાં વધારો થાય છે અને શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. જો તમારા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો આજથી જ ખજૂર ખાવાનું શરૂ કરી દો.

હાઇ બ્લડ પ્રેશર માટે ફાયદાકારક

જે લોકોને હાઇ બીપીની સમસ્યા છે તેવા લોકો માટે કાળો ખજૂર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ બેડ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરીને ગુડ કોલેસ્ટ્રોલ લેવલ વધારે છે.

હાર્ટની હેલ્થ માટે ગુણકારી

ખજૂર ખાવાથી હાર્ટની હેલ્ધ સારી રહે છે. હદયની હેલ્ધ માટે કાળા ખજૂરને ફાયદાકારક માનવામાં આવે છે. કાળા ખજૂરનું સેવન કરવાથી હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર અને સ્ટ્રોક જેવી સમસ્યાઓનું જોખમ ઘટાડી શકાય છે.

Read the Next Article

સુરત : જે ખોરાક તમે ખાઓ છો (અથવા સ્કીપ કરો છો) તે તમારા અંડકોષની ગુણવત્તા પર અસર કરી શકે છે : ડો.આશિતા જૈન

ડાયેટમાં પ્રોસેસ્ડ ફૂડ્સ, એડેડ શુગર અને ટ્રાન્સ ફેટ્સનું વધુ પ્રમાણથી ક્રોનિક ઇન્ફ્લેમેશન થઈ શકે છે અને ઇન્સ્યુલિન રેગ્યુલેશનમાં ખલેલ પહોંચાડી શકે છે.

New Update
Dr. Ashita Jain

મહિલાઓની ફર્ટિલિટી (સફળ ગર્ભધારણ) ની વાત કરીએ તો એગ (અંડકોષ)ની ગુણવત્તાએ સૌથી મહત્વપૂર્ણ પાસું છે. પરંતુ ઉંમરની અસર ઉપરાંત એગની ગુણવત્તા ઘટવા પાછળના અન્ય ઘણા પરિબળો પર ઓછું ધ્યાન અપાય છે. જ્યારે ઉંમર એગના સ્વાસ્થ્યને નોંધપાત્ર રીતે અસર કરે છેત્યારે પોષણ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે અને હકીકતમાં તે સુધારી શકાય તેવું પરિબળ છે.

સુરતના જાણીતા ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ,બિરલા ફર્ટિલિટી એન્ડ આઇવીએફના ડો.આશિતા જૈને આ અંગે વિસ્તાર પૂર્વક માહિતી આપતા જણાવ્યું હતું કે નેચરલ કન્સેપ્શનનો પ્રયાસ કરતા પહેલાના બેથી ત્રણ મહિના સમયગાળો સંવેદનશીલ હોય છે. આ તે સમય છે જ્યારે ઓવ્યુલેશન માટે નિયત એગ તેના વિકાસની જર્ની શરૂ કરે છે અને તેથી આ સમયગાળા દરમિયાન લેવાતા પોષક તત્વો તે એગના સ્વાસ્થ્યને નક્કી કરવા માટે જવાબદાર બને છે.

ફોલેટવિટામિન ડીઓમેગા-3 ફેટી એસિડ્સસેલેનિયમ અને CoQ10 જેવા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ઓક્સિડેટીવ સ્ટ્રેસને રોકીનેમાઇટોકોન્ડ્રિયલ ફંક્શનને સુધારીને અને સામાન્ય ક્રોમોઝોમલ ડેવલપમેન્ટને સરળ બનાવીને એગની પરિપક્વતામાં વધારો કરે છે. આ પોષક તત્વો લીલા પાંદડાવાળા શાકભાજીકઠોળબીજનટ્સસાબુત અનાજ અને ઓઇલી ફિશ જેવા ખોરાકમાંથી મળી શકે છે.

ડાયેટમાં પ્રોસેસ્ડ ફૂડ્સએડેડ શુગર અને ટ્રાન્સ ફેટ્સનું વધુ પ્રમાણથી ક્રોનિક ઇન્ફ્લેમેશન થઈ શકે છે અને ઇન્સ્યુલિન રેગ્યુલેશનમાં ખલેલ પહોંચાડી શકે છે.આ બંને સ્થિતિઓ હોર્મોનલ સંતુલન અને ઓવ્યુલેશનને નુકસાન પહોંચાડે છે. સમય જતા આ એગની ગુણવત્તાને નુકસાન પહોંચાડે છે અને કન્સેપ્શનને સફળ બનાવવાની સંભાવના પણ ઘટાડી શકે છે.

રિસ્ટ્રિક્ટિવ ડાયેટરી પેટર્ન પણ જોખમભરી છે. મીલ સ્કીપ કરવું અથવા ખૂબ જ ઓછી કેલરી વાળું ભોજન લેવાથી ઓવરીઝ અને મગજ વચ્ચેનો હોર્મોનલ કમ્યુનિકેશન ડિસરપ્ટ થઈ શકે છેજેના પરિણામે અનિયમિત પીરિયડ્સ અથવા ઓવ્યુલેશનમાં વિલંબ થઈ શકે છે. વધુમાં ગટ હેલ્થજેને સામાન્ય રીતે ઓછું મૂલ્ય આપવામાં આવે છેતે પોષકતત્ત્વોના શોષણ અને ઇસ્ટ્રોજન મેટાબોલિઝમને મોડ્યુલેટ કરીને રિપ્રોડક્ટિવ વેલ્બિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

એ સમજવું જરૂરી છે કેપોષણ યુક્ત ભોજન માત્ર ઉંમર સંબંધિત ઘટાડાને ઊલટાવી શકાતું નથી અથવા ફર્ટિલિટીના બધા કારણોની સારવાર કરી શકતું નથીપરંતુ તે મહિલાઓના નિયંત્રણમાંના થોડા લીવર્સમાંથી એક છે,જે સીધું તેમના એગના સેલ્યૂલર હેલ્થને સપોર્ટ કરે છે.

કન્સેપ્શનનો પ્રયાસ કરતા પહેલાના મહિનાઓ દરમિયાન શરીરને શું મળે છે તેની નોંધ લેવાથી માત્ર એગની ગુણવત્તા પર જ નહીંપરંતુ ફર્ટિલાઇઝેશન અને પ્રારંભિક ભ્રૂણ વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પર પણ નોંધપાત્ર ફરક પડી શકે છે.