વધતાં વજનને નિયંત્રણમાં રાખવા માટે ઘઉંના બદલે કરો નાળિયેરના લોટની રોટલી...

ખાસ દરેકના ઘરમાં રોટલી બનાવવા માટે ઘઉંના લોટ અથવા બાજરીના લોટનો ઉપયોગ કરે છે, પરંતુ શું તમે ક્યારેય રોટલી બનાવવા માટે નારિયેળના લોટનો ઉપયોગ કર્યો છે?

New Update
વધતાં વજનને નિયંત્રણમાં રાખવા માટે ઘઉંના બદલે કરો નાળિયેરના લોટની રોટલી...

ખાસ દરેકના ઘરમાં રોટલી બનાવવા માટે ઘઉંના લોટ અથવા બાજરીના લોટનો ઉપયોગ કરે છે, પરંતુ શું તમે ક્યારેય રોટલી બનાવવા માટે નારિયેળના લોટનો ઉપયોગ કર્યો છે? તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. ઘઉંના લોટ કરતાં નારિયેળનો લોટ વધુ ફાયદાકારક માનવમાં આવે છે. આ લોટને ખાસ કરીને નાળિયેરને સૂકવીને લોટ તૈયાર કરવામાં આવે છે. લોકો તેનો ઉપયોગ ખાસ કરીને બેકિંગ માટે કરે છે, પરંતુ તમે તેનો ઉપયોગ રોજિંદા ખોરાકમાં કરી શકો છો.તો આવો જાણીએ નારિયેળના લોટના ફાયદા.

વજન ઘટાડવામાં મદદરૂપ :-

નારિયેળના લોટમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનને સ્વસ્થ રાખે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી ભૂખ લાગતી નથી અને વજન પણ નિયંત્રણમાં રહે છે.

એનર્જી મેળવવા :-

નારિયેળના લોટમાં હેલ્ધી ફેટ જોવા મળે છે, જે તમને દિવસભર એનર્જી આપે છે. આ ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ નથી વધતું અને હૃદયની બીમારીઓ પણ દૂર રહે છે.

બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ :-

ઘઉંના લોટની તુલનામાં નારિયેળના લોટમાં કાર્બોહાઇડ્રેટની માત્રા ઓછી હોય છે, એટલે કે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, તેને ખાવાથી બ્લડ સુગર લેવલ નથી વધતું.

સ્નાયુ વૃદ્ધિ અને શક્તિ :-

નારિયેળના લોટમાં પ્રોટીન પૂરતી માત્રામાં જોવા મળે છે, તે સ્નાયુઓને મજબૂત બનાવે છે.

Read the Next Article

Covid-19: દર 6-9 મહિનામાં વધે છે કોરોનાનું સંક્રમણ', વિશેષજ્ઞોએ તમામ લોકોને આપી જરૂરી સલાહ

રાજસ્થાનમાં 20 વર્ષીય યુવકનું કોરોનાથી મૃત્યુ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેને મલ્ટીપલ ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ, ફેફસાંની સમસ્યાની સાથે કોરોનાનું સંક્રમણ પણ થયું હતું

New Update
covidd

ભારત અને અમેરિકા સહિત ઘણા દેશોમાં તાજેતરના દિવસોમાં કોરોનાવાયરસના સંક્રમણના કેસોમાં ઝડપથી વધારો જોવા મળ્યા. પરંતુ ભારતમાં હાલમાં સંક્રમણના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 15 જૂનના રોજ જ્યાં કુલ એક્ટિવ કેસ 7400 હતા, તે 21 જૂન (શનિવાર) ના રોજ ઘટીને લગભગ 5012 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 1197 લોકો સંક્રમણમાંથી સાજા થયા છે અથવા હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા છે.

જોકે, રાજસ્થાનમાં 20 વર્ષીય યુવકનું કોરોનાથી મૃત્યુ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેને મલ્ટીપલ ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ, ફેફસાંની સમસ્યાની સાથે કોરોનાનું સંક્રમણ પણ થયું હતું, જેના કારણે તેની સ્થિતિ ગંભીર બનતી ગઈ અને તેનું મૃત્યુ થયું.

છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં સક્રિય કેસોમાં ભલે ઘટાડો થયો હોય, જોકે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે કોરોનાને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ. વાયરસ હંમેશા આપણી આસપાસ રહે છે અને નવા મ્યુટેશન અથવા લોકોની નબળી પ્રતિરક્ષાને કારણે વારંવાર સક્રિય થઈ જાય છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને, તમામ લોકોએ સતત સાવચેતી રાખવાની જરૂર છે. આપણે કોરોના સાથે જીવતા શીખી લેવું પડશે.

ભારતમાં કોરોનાના કેસની વાત કરીએ તો અહીં બે વેરિએન્ટ નિંબસ  (Nimbus) અને ટ્રાટસ (Stratus) સૌથી વધુ અસરકારક જોવા મળી રહ્યા છે. એનબી.1.8.1ના અનૌપચારિક રૂપથી 'નિબંસ' ઉપનામ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ એક્સએફજીને સ્ટ્રાટસ કહેવામાં આવે છે. 

તાજેતરમાં એક રિપોર્ટમાં આઇસીએમઆર-એનઆઇવી પુણેના નિર્દેશક ડો. નવીન કુમારે જણાવ્યું હતું કે XFG અને NB.1.8.1 ની સાથે JN.1 અને LF.7 વેરિઅન્ટ પણ અહીં સક્રિય જોવા મળ્યા છે. અત્યાર સુધી આ વેરિઅન્ટ્સને વધુ ગંભીર ગણવામાં આવ્યા નથી, જોકે દરેક મ્યુટેશન સાથે તેનો સંક્રમણ દર ચોક્કસપણે વધતો જાય છે, જેને લઈને સાવચેતી રાખવી જરૂરી છે.