Connect Gujarat
આરોગ્ય 

આ 5 વસ્તુઓ જે કયારેય એક્સપાયર થતી નથી, તો આંખો બંધ કરીને વાપરો.....

કોરોના કાળમાં લગભગ બધા જ લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને બહુ સિરિયસ થઈ ગયા છે.

આ 5 વસ્તુઓ જે કયારેય એક્સપાયર થતી નથી, તો આંખો બંધ કરીને વાપરો.....
X

કોરોના કાળમાં લગભગ બધા જ લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને બહુ સિરિયસ થઈ ગયા છે. આવી સ્થિતિમાં કોઈ પણ ખાધવસ્તુ ખરીદતા પહેલા લોકો તેની એક્સપાયરી ડેટ અને ઉત્પાદન તપાશે છે. કે કોઈ વસ્તુ એક્સપાયર તો નથી થઈ ગઇ ને... પરંતુ તમને જણાવી દઈએ કે રસોડાની આ વસ્તુ જે કયારેય એક્સપાયર થતી જ નથી તેનો તમે આંખ બંધ કરીને ઉપયોગ કરી શકો છો.

1. કોફી : કોફી એક એવું વસ્તુ છે જે કયારેય એક્સપાયર થતી જ નથી. એક્સપાયરી ડેટ પછી પણ તમે કોફીનો ઉપયોગ કરી શકો છો. આનું કારણ છે કે પ્રિ-બિડ કોફીના મિશ્રણને સૂકવીને તરત જ કોફી તૈયાર કરવામાં આવે છે. આ કોફીને ગરમ હવા દ્વારા પાવડર સ્વરૂપ માં તૈયાર કરવામાં આવે છે. આ સિવાય કોફીને વેક્યૂમ દ્વારા પણ સુક્વવામાં આવે છે અથવા સ્થિર કરવામાં આવે છે. કોફી તૈયાર કરવાની આ પ્રક્રિયા દર્શાવે છે કે તેમાં ભેજ નથી તેથી આ જ કારણ છે કે કોફીની એક્સપયરી ડેટ પછી પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

2. મધ : મધનો ઉપયોગ આજ કાલથી નહીં પરંતુ ઘણા જૂના વર્ષોથી કરવામાં આવે છે. તેના ગુણધર્મો અને પોષકતત્વોના કારણે જ આજે મધનો સમગ્ર વિશ્વમાં ઉપયોગ થાય છે. આ સિવાય તે ખાધ ચીજ પણ છે તેથી એક્સપાયરી ડેટ પછી પણ તેનો ઉપયોગ કરી શકાય છે. મધ વર્ષો સુધી સારું રહે છે. કારણ કે તેમાં પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. જ્યારે માઇક્રોબાયલને વૃધ્ધિ માટે પાણીની જરૂરિયાત હોય છે. આથી મધને એક્સપાયરી ડેટ જોયા વગર જ ઉપયોગમાં લઈ શકાય છે.

3. મીઠું : મીઠું એક એવું તત્વ છે જે કયારેય બગડતું નથી આથી જ તેનો ઉપયોગ અથાણાં, ચટણી અને સૂકા નાસ્તામાં કરવામાં આવે છે. પણ આ ત્યારે જ પોસિબલ છે કે જ્યારે મીઠું આયોડિન કે બીજા કોઈ ઉમેરણો સાથે મિશ્રિત ના હોય. કારણ કે જ્યારે આવું થાય છે ત્યારે મીઠાના પ્રકૃતિક ગુણધર્મો બદલાઈ જાય છે. દરિયાના પાણી માંથી મીઠું બને છે તેથી જ તેનો સાચો સ્વાદ ક્યારેય મળતો નથી. જેના કારણે મીઠાની સેલ્ફ લાઈફ 5 થી 6 વર્ષ સુધી ઘટી જાય છે.

4. સોયા સોસ : સોયા સોસ ઘણી વાનગીઓમાં વપરાય છે. પરંતુ તેનું પેકિંગ જોઈને લોકો ક્યારેક માની લે છે કે તે એક્સપાયર થઈ ગયું હશે. તમને જણાવી દઈએ કે સોયા સોસનો ઉપયોગ દાયકાઓ સુધી કરી શકાય છે. પરંતુ આ ત્યારે જ થઈ શકે છે જો આ ચટણી બનાવવામાં કોઈ એડિટિવ્સ અને પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય. એટલું જ નહીં, સોયા સોસની બોટલ ખોલવામાં આવે તો પણ તે લાંબા સમય સુધી ટકી શકે છે. આ સિવાય મીઠા દ્વારા તેની શેલ્ફ લાઈફ પણ વધારી શકાય છે.

5. ખાંડ : ખાંડનો સ્વાદ ક્યારેય બગડતો નથી, પછી ભલેને તેને લાંબા સમય સુધી રાખવામાં આવે. તમે તેને વર્ષો સુધી સ્ટોર કરી શકો છો, તેમાં હાજર પોષક તત્વો ક્યારેય નાશ પામશે નહીં.

Next Story