કોવિડ-19ની સારવાર માટે WHOએ 2 નવી દવાઓની ભલામણ કરી,વાંચો કેટલી છે અસરકારક

WHO તરફથી એક રાહતના સમાચાર આવ્યા છે.WHOએ કોરોનાની બે નવી દવાઓની ભલામણ કરી છે.

New Update

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને સમગ્ર દુનિયામાં પોતાનો કહેર મચાવ્યો છે. હાલ સમગ્ર દુનિયા આ વેરિયન્ટના ઝપેટામાં આવી ગઈ છે. આ કારણે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની પણ શરુઆત થઈ ગઈ છે. આ દરમિયાન WHO તરફથી એક રાહતના સમાચાર આવ્યા છે.WHOએ કોરોનાની બે નવી દવાઓની ભલામણ કરી છે. આ દવાઓના નામ છે- બારિસિટિનિબ અને કાસિરિવિમૈબ-ઈમદિવિમૈબ.પીયર રિવ્યૂ જર્નલ BMJમાં હેલ્થ બોડીના નિષ્ણાંતે કહ્યું કે ગંભીર રુપે બિમાર દર્દીઓના સારવાર માટે કોર્ટિકોસ્ટ્રોયડ્સ સાથે બારિસિટિનિબનો ઉપયોગ કરી શકાય છે.

Advertisment

સામાન્યરીતે આ દવાનો ઉપયોગ આર્થરાઈટિસના ઉપયોગમાં કરવામાં આવે છે.WHOનું કહેવું છે કે આ દવા વેન્ટિલેટરની જરુરિયાત ઘટાડે છે અને કોઈ પણ પ્રકારના સાઈડ ઈફેક્ટ વગર જીવનું જોખમ ઓછું કરે છે. તેની અસર આર્થરાઈટિસની એક અન્ય દવા ઈન્ટરલ્યૂકિન-6 (IL-6) સમાન હોય છે. જો તમારી પાસે દવાઓના વિકલ્ય હાજર હોય તો કીમત, ઉપલબ્ધતા અને ક્લીનિશિયલ એક્સપિરીયન્સના આધારે દવા ખરીદી શકો છો. એક જ સમયે બંને દવાઓ લેવાની ભૂલ ના કરતા.WHOએ આ ગાઈડલાઈન અપડેટમાં મોનોક્લોનલ એન્ટીબોડી સોટ્રોવિમૈબની પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વપરાશની ભલામણ કરી છે. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓને આ દવા અપાઈ શકે છે.WHOએ એક અન્ય મોનોક્લોનલ એન્ટીબોડી દવા કૈસિરિવિમેબ-ઇમદિવિમૈબ માટે પણ આ જ પ્રકારની ભલામણ કરી છે.

Advertisment