લંચ બાદ કેમ 15 મિનિટ સૂવું છે જરૂરી? ફાયદા જાણીને દંગ રહી જશો.....

લંચ બાદ 15 મિનિટ ઊંઘ લેવાથી એક નહિ અનેક ફાયદા થાય છે જાણીએ શું ફાયદા થાય છે. બપોરના ભોજન પછી ઘણા લોકોને ઊંઘ આવે છે.

New Update
લંચ બાદ કેમ 15 મિનિટ સૂવું છે જરૂરી? ફાયદા જાણીને દંગ રહી જશો.....

લંચ બાદ 15 મિનિટ ઊંઘ લેવાથી એક નહિ અનેક ફાયદા થાય છે જાણીએ શું ફાયદા થાય છે. બપોરના ભોજન પછી ઘણા લોકોને ઊંઘ આવે છે.પરંતુ ઘણા લોકો ઊંઘ્યા વિના જ સતત કામ કરતાં રહે છે. જે યોગ્ય નથી. જમીને 15 મિનિટ સુવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે.

· લંચ બાદ ઘણા લોકોને ઊંઘ આવતી હોય છે અને તે ફિલ ગુડ્ હોર્મોન્સના વધારાને કારણે થાય છે. એવું બને કે જ્યારે તમે ભોજન લો છો ત્યારે તમારા બોડીમાં સેરોટોટીન હોર્મોન્સ વધે છે. જેના કારણે તમે સુસ્તી અને આળસ અનુભવો છો. પરંતુ કેટલાક લોકોને તો આ સમય દરમિયાન પણ ઊંઘ નથી આવતી અને તે દરમિયાન તે સુસ્ત રહે છે. આ માટે જ થોડી ઊંઘ લેવી જ જોઈએ.

· લંચ બાદની 15 મિનિટની ઊંઘ બીપીને કંટ્રોલ કરે છે. તે ખરેખર કામ દરમિયાન ચાલતા ઝડપી ઘબકારાને આરામ આપે છે. તે હદય અને મગજને શાંત રાખવાની તક પૂરી પડે છે. અને તમારી રક્તવાહીનીઓને આરામ આપે છે. અને બીપીને કંટ્રોલ કરે છે જેથી તમે બીપી રોગથી બચી શકો છો.

· બપોરના ભોજન બાદ ઊંઘવાથી તમે તણાવ મુક્ત રહેશો અને સ્ટ્રેસ પણ ઓછું થઈ જશે. મન મગજને શાંતિ મળે છે જેથી તમારા અડધા દિવસનો થાક ઉતરી જાય છે.

· તમારી પ્રોડેક્ટિવિટી વધારવામાં મદદ કરે છે. જે મગજને રિસ્ટાર્ટ કરે છે તમને બહેતર મહેસુસ કરાવે છે.

· લંચ બાદ 15 મિનિટ સુવાથી પાચનની સમસ્યાઓ દૂર થાય છે અને તમારા હોર્મોન્સ ને બેલેન્સ કરે છે તેથી તમે સવારમાં જેવા ફ્રેશ હો તેવા જ ફ્રેશ બપોરે અનુભવો છો. 

Read the Next Article

ચોમાસામાં પાણીજન્ય રોગચાળો અટકાવવા આ ઉપાયો ચોક્કસથી અપનાવો

ચોમાસામાં કોલેરા, ટાઈફોઈડ, ઝાડા-ઉલટી અને કમળો જેવાં પાણીજન્ય રોગો સામાન્ય રીતે વધુ જોવા મળે છે, જે ખાસ કરીને દૂષિત પાણી અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણને કારણે ફેલાય છે.

New Update
2526111

ચોમાસામાં કોલેરા, ટાઈફોઈડ, ઝાડા-ઉલટી અને કમળો જેવાં પાણીજન્ય રોગો સામાન્ય રીતે વધુ જોવા મળે છે, જે ખાસ કરીને દૂષિત પાણી અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણને કારણે ફેલાય છે.

આ રોગોથી બચવા માટે બોટાદ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ભારતીબેન ધોળકિયાએ જણાવ્યું કે હતું કે, "વ્યક્તિગત સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી અને કચરાનું યોગ્ય વ્યવસ્થાપન પાણીજન્ય રોગચાળાથી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પહેલાં તો એ જરૂરી છે કે આપણે પીવાના પાણીને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવીએ. જો પાણીનો સ્ત્રોત શંકાસ્પદ હોય તો પાણીને સારી રીતે ઉકાળીને પીવો, કારણ કે ઉકાળવાથી તેમાં રહેલાં રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ થાય છે. જો ઉકાળવું શક્ય ન હોય તો ક્લોરીનયુક્ત પાણીનો ઉપયોગ કરવો જોઈએ.

આ માટે કલોરિનની ગોળીઓને લગભગ 20 લીટર પાણીમાં નાખીને અડધો કલાક સુધી મૂકીને પછી તેનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કેમિકલ સંપૂર્ણપણે ઓગળી જાય છે અને તે બેક્ટેરિયાનો નાશ કરી શકે.

ગટરો અને ખાડાઓમાં સમયાંતરે પાણી એકઠું થતું હોય તેવા વિસ્તારો જેવા ગંદા સ્થળોને પણ સાફ કરવા જરૂરી છે. સ્થિર પાણી મચ્છરો અને સૂક્ષ્મજંતુઓ માટેનું સંવર્ધન સ્થળ બની જાય છે. નિયમિત સફાઈથી વાતાવરણ સ્વચ્છ રહે છે અને સંક્રમણ ફેલાવાની સંભાવના ઓછી થઈ જાય છે."

આ સાથે જ ભોજનની સ્વચ્છતાનું પણ ખૂબ મહત્વ છે. ખુલ્લા, વાસી અથવા ગંદા હાથથી બનેલા ખોરાકથી પાણીજન્ય રોગો વધે છે, તેથી તાજા, સ્વચ્છ અને ઘરે રાંધેલાં ખોરાકનું સેવન કરવું જોઈએ.

ખોરાક તૈયાર કરતા અને પીરસતાં પહેલાં હાથને સાબુ અને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોવા જોઈએ. આ ઉપરાંત ઘન કચરાના નિયમિત નિકાલ માટેની વ્યવસ્થા હોવી જોઈએ. કચરો એકઠો થવો એ માખીઓ અને અન્ય જીવાતોને ઉછેરે છે જે ખોરાક અને પાણીને ચેપ લગાવી શકે છે.

water-borne diseases | Monsoon | Monsoon Dieses | Monsoon News