/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/25215705/coronaviruspositive-e1616514402338.jpg)
ગુજરાત રાજયમાં વીતેલા 24 કલાકમાં કોરોના વાયરસના 1,790 કેસ સામે આવ્યાં છે જયારે 8 દર્દીઓના મોત થઇ ચુકયાં છે. દિવાળી બાદ ફરી એક વખત કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. એક તરફ વેકસીનેશનની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ કેસની સંખ્યા પણ વધી રહી છે.
ગુજરાતમાં કોરોના વાયરસ ફુંફાડા મારી રહયો છે. લોકડાઉન બાદ જનજીવનની ગાડી માંડ પાટા પર આવી છે ત્યાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહયાં છે. વીતેલા 24 કલાકમાં રાજયમાં રેકોર્ડબ્રેક કહી શકાય તેટલા 1,790 કેસ સામે આવ્યાં છે. 8 દર્દીઓ કોરોના સામેનો જંગ હારી ગયાં છે. રાજયમાં હાલ 8823 કેસ એક્ટિવ કેસ છે જયારે 79 દર્દી વેન્ટિલેટર પર હોવાનું આરોગ્ય વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે. કોરાના વાયરસનો નવો સ્ટ્રેન ઘાતક સાબિત થઇ રહયો છે. કોરોનાના નવા સ્ટ્રેનમાં જોવા મળતાં લક્ષણો પણ બદલાઇ ગયાં છે. રાજય સરકાર તરફથી કોરોનાના દર્દીઓ શોધી કાઢવા માટે ટેસ્ટની સંખ્યા વધારી દેવામાં આવી છે તથા વેકસીનેશન પણ પુરજોશમાં ચાલી રહયું છે. કોરોનાના સંક્રમણને ધ્યાને લેતાં રાજયના ચાર મહાનગરોમાં રાત્રિ કરફયુની અવધિ પણ વધારી દેવાય છે આ ઉપરાંત સમુહમાં ધુળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. રાજયમાં શાળા- કોલેજોથી માંડી વિધાનસભા સુધી કોરોના ફેલાય ચુકયો છે. હાલમાં બજેટ સત્ર ચાલી રહયું છે તેવામાં 10 ધારાસભ્યોના રીપોર્ટ પર પોઝીટીવ આવ્યાં છે. કોરોના ઝડપથી ફેલાય રહયો હોવાના કારણે હવે સાવચેતી એ જ સલામતીના સુત્રને પ્રાધાન્ય આપવું પડશે. ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક ફરજિયાત પહેરવું અને કોઇ પણ વ્યકતિને મળો ત્યારે બે ગજનું અંતર રાખવું આવશ્યક છે.