New Update
/connect-gujarat/media/media_files/2024/10/18/H1b2TV5pzi8Cpi9XYbAL.jpg)
બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની સરકારે સ્વતંત્રતા અને સ્થાપના દિવસ સંબંધિત 8 સરકારી રજાઓ રદ કરવાની જાહેરાત કરી છે. તેમાંથી બે સૌથી મહત્વપૂર્ણ તારીખોમાં 7 માર્ચ અને 15 ઓગસ્ટનો સમાવેશ થાય છે.7 માર્ચના રોજ બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાને ભાષણ આપીને સમગ્ર દેશને પાકિસ્તાની સેના સામે એક કરી દીધો હતો.
આ દિવસને ત્યાં આઝાદીનું બ્યુગલ ફૂંકવાના દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. તે જ સમયે, બાંગ્લાદેશમાં 15 ઓગસ્ટના રોજ શોક મનાવવામાં આવે છે.આ દિવસે 1975માં બાંગ્લાદેશના કેટલાક આર્મી અધિકારીઓએ શેખ મુજીબુર રહેમાનના ઘરમાં ઘૂસીને તેમની હત્યા કરીને બળવો કર્યો હતો. આ દિવસે ત્યાં શોક મનાવવામાં આવ્યો હતો. આ બંને દિવસની રજા રદ કરવાનો નિર્ણય યુનુસના સલાહકારોની બેઠકમાં લેવામાં આવ્યો છે.આ નિર્ણય લેનારાઓમાં તે લોકો પણ સામેલ છે જેમણે શેખ હસીના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. જે પાછળથી તેમની હકાલપટ્ટી તરફ દોરી ગયું.