માધવી પુરી બુચ અને સેબીના અધિકારીઓ સામે FIR દાખલ કરવા માટે ACB કોર્ટનો આદેશ

કથિત શેરબજાર છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘનના કેસમાં સેબીના પૂર્વ ચેરમેન માધવી પુરી બુચ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને SEBIનાટોચના અધિકારીઓ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો

New Update
madhvi puri buch

મુંબઈની વિશેષ ACB કોર્ટે શનિવારે કથિત શેરબજાર છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘનના કેસમાં સેબીના પૂર્વ ચેરમેન માધવી પુરી બુચબોમ્બે સ્ટોક એક્સચેન્જ અને SEBIનાટોચના અધિકારીઓ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટે 30 દિવસમાં કેસ સાથે સંબંધિત સ્ટેટસ રિપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ આપ્યો છે. 

વિશેષ એસીબી કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, ‘દસ્તાવેજો પરની સામગ્રી અને સમીક્ષા કર્યા બાદ કોર્ટને લાગ્યું છે કે, ‘આરોપોમાં કોગ્નિઝેબલ ગુનાનો ખુલાસો થયો છેતેથી તપાસની જરૂર છે. નિયમનકારી ભૂલો અને મિલીભગત પ્રથમદર્શી પુરાવા છે,જેની નિષ્પક્ષ તપાસ કરવાની જરૂર છે.

કાયદાના અમલીકરણ અને સેબીની નિષ્ક્રિયતાના કારણે કલમ 153(3) CRPCહેઠળ ન્યાયિક હસ્તક્ષેપની જરૂર છે. કોર્ટે ટિપ્પણીમાં એસીબી અપરાધિક એમ.એ.સં.603/2024નો પણ ઉલ્લેખ કર્યો છે.

હિન્ડનબર્ગના રિપોર્ટમાં અદાણી જૂથને શેર્સમાં ગેરરીતિ થઈ હોવાના આરોપમાં સેબીના વડા માધવી પુરી બુચ અને તેમના પતિની પણ સંડોવણી હોવાનો આરોપ મૂકાયો હતો. જો કેમાધવી પુરી બુચ સતત આ આરોપોને નકારી રહ્યા છે.

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ પ્રેસ કોન્ફરન્સમાં આક્ષેપ લગાવ્યો હતો કે,માધવી બુચે સેબીમાં તેમના કાર્યકાળ દરમિયાન લિસ્ટેડ સિક્યોરિટીઝમાં 36.9 કરોડ રૂપિયાનું ટ્રેડિંગ કરીને સેબીના મહત્ત્વપૂર્ણ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. ખેરાએ દાવો કર્યો હતો કે,આ ટ્રેડિંગ પ્રવૃત્તિ વર્ષ 2017 થી 2023 ની વચ્ચે થઈ હતીજેમાં નાણાકીય વર્ષ 2018-19માં કુલ 19.54 કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા.  

Latest Stories
Read the Next Article

રાજૌરીમાં આતંકીઓના આશ્રય સ્થાનનો મળ્યો પત્તો, ઘીના ડબ્બામાં સંતાડેલા હતા હથિયારો

રાજૌરીના થાનમંડી ગામમાં સેનાએ એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે. 61 રાષ્ટ્રીય રાઇફલ્સે એક સર્ચ ઓપરેશનમાં 10 UBGL ગ્રેનેડ, હથિયારો, બેટરી, ખાદ્ય પદાર્થો અને અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે.

New Update
ss

રાજૌરીના થાનમંડી ગામમાં સેનાએ એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે. 61 રાષ્ટ્રીય રાઇફલ્સે એક સર્ચ ઓપરેશનમાં 10 UBGL ગ્રેનેડ, હથિયારો, બેટરી, ખાદ્ય પદાર્થો અને અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે.

આતંકવાદીઓની ગતિવિધિઓનો પુરાવો છે. આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામે સેનાને મોટી સફળતા મળી છે. આતંકવાદી પ્રવૃત્તિના ઇનપુટ પર, 61-RR (રાષ્ટ્રીય રાઇફલ્સ) એ રાજૌરીના થાનમંડી ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન, આતંકવાદી માટેના આશ્રયસ્થાનનુ ઠેકાણું મળી આવ્યું, જ્યાં તપાસ કરતા ગ્રેનેડ, હથિયારો-ટોર્ચમાં ઉપયોગમાં લેવાતી બેટરી, ખાદ્ય પદાર્થો અને અન્ય વાંધાજનક સામગ્રી મળી આવી છે.

આતંકવાદીઓના સંતાવવાના અડ્ડામાંથી 10 UBGL ગ્રેનેડ મળી આવ્યા છે, જે એક મોટા ઘીના ડબ્બાની અંદર છુપાવેલા હતા. ફોટો ફિલ્મ નેગેટિવનું 1 પેકેટ મળી આવ્યું છે. આ સાથે, 50 નાની બેટરી, 10 ટોર્ચ બેટરી, 3 ચમચી, 1 ટૂથબ્રશ, 2 કાંસકા, 1 પ્લાસ્ટિકની તાડપત્રી, 1 ધાબળો, 1 પ્લાસ્ટિક કેન, 1 લોખંડનો ફેવિકોલ કેન અને તૂટેલા દારૂગોળાનું 1 બોક્સ મળી આવ્યું છે.

આ સાથે, જૂના મોજા, 2 પેન, દવાઓના 2 પેકેટ, બિસ્કિટ રેપર, કાગળની વસ્તુઓ અને અન્ય સંવેદનશીલ ચીજવસ્તુઓ મળી આવી છે. આ સામગ્રી સૂચવે છે કે આ વિસ્તારનો ઉપયોગ અગાઉ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કરાયો હોઈ શકે છે. હાલમાં આ જગ્યાને સીલ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. સુરક્ષા દળો અન્ય કોઈ પગેરુ શોધવા માટે આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખે તેવી શક્યતા છે.

આતંકવાદ સામે સેનાના ઓપરેશનની સાથે, SIA (રાજ્ય તપાસ એજન્સી) એ મંગળવારે એક મોટી કાર્યવાહી કરી. નાર્કો આતંકવાદ સંબંધિત કેસની તપાસમાં, પૂંછમાં 2 ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે SIA એ ગાગરિયાં ગામમાં મોહમ્મદ જમીલ ઉર્ફે આકાશ અને આમિર સોહેલના ઘરોની તપાસ કરી હતી. અહીંથી અનેક ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે SIA જમ્મુ દ્વારા 2022 માં સરહદ પારથી દાણચોરી કરાયેલા માદક દ્રવ્યોના મોટા જથ્થાની જપ્તી બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. પ્રતિબંધિત પદાર્થ વેચીને એકઠા થયેલા પૈસાનો ઉપયોગ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હતો.

Latest Stories